Health Tips: ખોટા ખાનપાન અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલને કારણે આજકાલ યુવાનો પણ ડાયાબિટીસ બીમારીનો શિકાર બની રહ્યાં છે. ડાયાબિટીસમાં, સ્વાદુપિંડ યોગ્ય રીતે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી, જેના કારણે બ્લડ સુગર લેવલ વધવા લાગે છે. જો સમયસર સુગર લેવલને નિયંત્રિત ન કરવામાં આવે તો શરીરના ઘણા ભાગોને નુકસાન થઈ શકે છે. સુગર લેવલને નિયંત્રિત કરવા માટે, દવાની સાથે, તમે આ શાકભાજીનો આહારમાં સમાવેશ કરી શકો છો. ચાલો જાણીએ કે ખાંડના સ્તરને નિયંત્રિત કરવા માટે કયા શાકભાજીનું સેવન કરી શકાય છે.
કારેલા
ડાયાબિટીસના દર્દીઓ સુગર લેવલ કંટ્રોલ કરવા માટે કારેલાનું સેવન કરી શકે છે. કારેલામાં પોલીપેપ્ટાઇડ હોય છે, જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. કારેલાનું સેવન કરવાથી શરીરમાં ઇંસુલિન વવધી શકે છે. સુગર લેવલ ઘટાડવા માટે કારેલાનું જ્યુસ પીવું ફાયદાકારક છે. જો તમે જ્યુસ ન પીવો તો કારેલા બાફી તેનું સેવન કરી શકો છો.
આ પણ વાંચોઃ ચા-કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરારુપ? જાણો ક્યારે કેટલા કપ ડ્રિંક્સ લેવા...
દૂધી
ગરમીની સીઝનમાં સુગર લેવલ કંટ્રોલ કરવા માટે દૂધી ફાયદાકારક સાબિત થઈ શકે છે. દૂધીમાં ફાઇબર હોય છે, જે સુગર લેવલને કંટ્રોલ કરવાની સાથે-સાથે પાચનતંત્ર પણ મજબૂત બનાવે છે. ગરમીમાં દૂધીનું સેવન કરવાથી ડિહાઇડ્રેશનની સમસ્યા થતી નથી. ડાયાબિટીસના દર્દી દૂધીનું રાયતું, દૂધીનું સુપ, બાફેલી દૂધીનું સેવન કરી શકે છે. વધુ ફાયદા માટે દૂધી બાફી લો અને તેમાં મીઠું નાખી તેનું સેવન કરો.
ભીંડી
ગરમીની સીઝનમાં ભીંડીનું સેવન પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભીંડીમાં દ્રાવ્ય ફાઇબર હોય છે, જે શરીરમાં ગ્લૂકોઝના અવશોષણને ધીમું કરે છે. ભીંડીનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ પણ લો હોય છે, જે સુગર લેવલને ઘટાડે છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે