Home> Health
Advertisement
Prev
Next

Moringa benefits: 300 પાર બ્લડ સુગર લેવલ થઈ જશે કંટ્રોલ! બસ તમારા ડાયટમાં સામેલ કરો આ લીલી ચટણી

 Moringa chutney recipe: ડાયટમાં આ ખાસ ચટણીને સામેલ કરવાથી શરીરમાં વધેલું બ્લડ સુગર લેવલ ઘટશે. આ ચટણી તમારે તમારા ડાયટમાં દરરોજ સામેલ કરવી જોઈએ.

Moringa benefits: 300 પાર બ્લડ સુગર લેવલ થઈ જશે કંટ્રોલ! બસ તમારા ડાયટમાં સામેલ કરો આ લીલી ચટણી

Easy Ways to Control Blood Sugar Level: આજકાલ ઘણા વ્યક્તિ ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરી રહી છે. આવા ક્રોનિક રોગોથી પીડાતા બધા લોકોનું સ્વાસ્થ્ય ખૂબ જ નાજુક સ્થિતિમાં છે. ઘણા લોકોના બ્લડ સુગરનું સ્તર હંમેશા ઊંચું રહે છે. આ તમારા જીવનને જોખમમાં મૂકે છે. આવી સ્થિતિમાં, આ ચટણી તમારા શરીરમાં વધેલા બ્લડ સુગર લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સ્વાદિષ્ટ ચટણીને તમારા રોજિંદા આહારમાં ચોક્કસ સામેલ કરો. આનાથી તમારું શુગર લેવલ હંમેશા નિયંત્રણમાં રહેશે.

fallbacks

મોરિંગાની ચટણીના ફાયદા
મોરિંગો (Moringa oleifera) પોષક તત્વોનું પાવરહાઉસ છે. તેમાં વિટામિન, ખનિજ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી યૌગિક ભરપૂર માત્રામાં હોય છે. સંશોધન સૂચવે છે કે મોરિંગા બ્લડ સુગરના સ્તરને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. તેમાં હાજર આઇસોથિઓસાયનેટ્સ જેવા બાયોએક્ટિવ સંયોજનો ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરી શકે છે, જેનાથી શરીર ગ્લુકોઝનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, મોરિંગામાં હાજર ફાઇબર ભોજન પછી બ્લડ સુગરના સ્તરમાં અચાનક વધારો અટકાવવામાં પણ મદદ કરે છે.

આ પણ વાંચોઃ ગરમીમાં ચહેરા પરથી ટપકે છે તેલ તો અપનાવો આ ઉપાયો, ઓઈલી સ્કિનથી મળશે છુટકારો !

મોરિંગાની ચટણી કરશે સુગર લેવલ કંટ્રોલ
મોરિંગાની ચટણી તમારા સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. તે માટે મોરિંગાની ચટણી તમારા ડેલી ડાયલમાં સામેલ કરો. તેનો સ્વાદ પણ શાનદાર છે અને સ્વાસ્થ્યને પણ ફાયદો થશે.

મોરિંગાની ચટણી બનાવવાની રીત
મોરિંગાની ચટણી બનાવવા માટે તાજા મોરિંગાના પાન લો. આ સાથે લસણની 3-4 કળી, લીલા મરચા, શેકેલી મગફળી, લીંબુનો રસ, નમક, જીરૂ અને સરસવનું તેલ લો.

બનાવવાની વિધિ
મોરિંગાના પાંદડાને સાફ કરો.
મિક્ચરની જારમાં મોરિંગાના પાન, લસણ, લીલા મરચા, મગફળી, લીંબુનો રસ અને નમક નાખો. તેમાં થોડું પાણી નાખી ક્રશ કરો. 
એક પેનમાં તેલ ગરમ કરો અને જીરૂ નાખો.
તેમાં ચટણી મિક્સ કરી સારી રીતે હલાવો. 

આ પણ વાંચોઃ આંતરડામાં જામેલી ગંદકીને સાફ કરશે આ 4 શાકભાજી, પેટમાં પહોંચતા જ કરે છે કામ

સ્વાદ અને સ્વાસ્થ્ય રહેશે મસ્ત
આ મોરિંગાની ચટણી તમારા ભોજનની સાથે એક શાનદાર સાઇડ ડિશ છે. તેને તમે રોટલી, ભાત કે અન્ય વસ્તુ સાથે ખાઇ શકો છો. નિયમિત રીતે તેનું સેવન કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળશે. પરંતુ તે યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે આ એક પૂરક ઉપાય છે અને સ્વાસ્થ્ય સલાહનો વિકલ્પ નથી. ડાયાબિટીસ કંટ્રોલ માટે હંમેશા ડોક્ટરની સલાહનું પાલન કરો.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More