Vitamin B12: વિટામિન બી12 આપણા શરીરનું જરૂરી પોષકતત્વ છે. જે નર્વસ સિસ્ટમ અને બ્લડ સેલ્સને હેલ્ધી રાખવાનું કામ કરે છે. શરીરમાં વિટામિન બી12 ઓછું હોય તો થાક, નસોમાં દુખાવો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
અચાનક મૂડમાં ફેરફાર, થાક, નસોમાં દુખાવો, વધારે ઊંઘ આવવી, ઝણઝણાટી થવી આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય તો તમે દહીંમાં કેટલીક વસ્તુ ઉમેરી ખાવાની શરૂઆત કરી દો. આ વસ્તુઓ ખાવાથી વિટામિન બી12 ની ખામીને દુર કરી શકાય છે.
વિટામિન બી12 ની ખામીના લક્ષણ
આ પણ વાંચો: Bhang: કોઈને ભાંગ ચઢી જાય તો અપનાવો આ ટીપ્સ, થોડીવારમાં જ ઉતરી જશે ભાંગની અસર
વધારે પડતો થાક લાગવો, નબળાઈ લાગવી
નસોમાં દુખાવો
ચક્કર આવવા,
ત્વચા ફીક્કી પડી જવી
ધબકારા વધી જવા
એનર્જીની ખામી
આ પણ વાંચો: Betel Leaf: વર્ષો જૂની કબજિયાત આ પાનથી મટી જશે, જાણી લો ક્યારે ખાવું અને કેવી રીત ?
દહીં અને વિટામિન બી12
દહીં વિટામિન બી12 ની ખામીને દુર કરવાનો સારો સોર્સ છે. તેનાથી વિટામિનની ખામી દુર કરવામાં મદદ મળે છે અને પાચનતંત્ર પણ સુધરે છે. દહીંમાં જે બેક્ટેરિયા હોય છે તે શરીરમાં અવશોષિત થવામાં સહાયતા કરે છે. દહીંમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને ખાવાથી તે વધારે લાભ કરે છે.
આ પણ વાંચો: હવે પડશે અતિશય ગરમી, લૂ થી બચવા પાણી પીવાની સાથે આ વાતનું ધ્યાન રાખવું પણ જરુરી
દહીંમાં કઈ કઈ વસ્તુ ઉમેરી ખાવી ?
1. દહીંમાં અળસીના બી ઉમેરીને ખાવાથી લાભ થાય છે.
2. દહીંમાં શેકેલું જીરું અને મીઠું ઉમેરીને ખાવાથી પણ ફાયદો થાય છે.
3. દહીંમાં મેથીનો પાવડર ઉમેરીને પીવાથી તે પૌષ્ટિક બને છે અને તંત્રિકા તંત્રને પણ ફાયદો કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે