Cambodia Archaeology: કંબોડિયાના વિશ્વ પ્રસિદ્ધ અંકોરગાટ મંદિર પરિસરમાં પુરાતત્વવિદોએ એક મહત્વપૂર્ણ શોધ કરી છે. ભારતીય અને કંબોડિયન નિષ્ણાતોની ટીમે અહીં 12મી કે 13મી સદીની ઐતિહાસિક બુદ્ધ પ્રતિમાના ધડની શોધ કરી છે. ખાસ વાત એ છે કે, આ ધડ લગભગ એક સદી પહેલા મળેલા એક માથા સાથે મેળ ખાય છે, જેના કારણે તેની ઓળખ અકબંધ રહી શકે છે. ખોદકામ દરમિયાન આ પ્રતિમા કુલ 29 ટુકડાઓમાં મળી આવી હતી, જેને એકસાથે જોડવા પર એક સંપૂર્ણ પ્રતિમાની સંભાવના નજર આવી રહી છે.
ખોદકામમાં મળ્યા સંપૂર્ણ પ્રતિમાના ટુકડા
આ ખોદકામ સાથે સંકળાયેલા પુરાતત્વવિદ નેથ સાઈમને જણાવ્યું કે, તાપ્રોહમ મંદિરમાં ખોદકામ દરમિયાન આ મૂર્તિ મળવાની ઉમ્મીદ ન હતી. સામાન્ય રીતે આવા ખોદકામમાં નાના ટુકડાઓ મળી આવે છે, પરંતુ આ વખતે સંપૂર્ણ પ્રતિમાના ટુકડા મળવા ખૂબ જ ખાસ છે. આ પ્રતિમાને કોતરવામાં આવેલા આભૂષણો, પરંપરાગત વસ્ત્રો અને ખાસ કમરબંધથી શણગારવામાં આવી છે, જે તેના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને વધારે છે.
હોળીના આમંત્રણનો મેસેજ મળે તો થઈ જજો સાવધાન! આ રીતે એક ઝાટકે થઈ જશે એકાઉન્ટ સાફ
મહત્વપૂર્ણ ઐતિહાસિક પુનઃસ્થાપના
રસપ્રદ વાત એ છે કે, આ પ્રતિમાનું માથું પહેલેથી જ મળી ગયું હતું. 1927માં ફ્રેન્ચ વસાહતી સમયગાળા દરમિયાન પુરાતત્વવિદોએ આ મંદિરમાંથી બુદ્ધ પ્રતિમાનું માથું શોધી કાઢ્યું હતું, જે હવે કંબોડિયાની રાજધાની નોમ પેન્હના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે. જો આ નવું મળી આવેલ ધડ અને તે માથું મેચ થાય તો તે એક મહત્વપૂર્ણ ઐતિહાસિક પુનઃસ્થાપના હશે.
દુનિયાના દરેક દેશમાં પાર્ટનર બનાવવા નિકળી આ મોડલ! અહીં તો મુકી દેવાયો છે પ્રતિબંધ
પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર
અંકોરવાટ મંદિર અને તાપ્રોહમ મંદિર દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. કંબોડિયાના પર્યટન મંત્રાલય અનુસાર 2024માં અહીં લગભગ 10 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આવ્યા હતા. આ નવી શોધ ચોક્કસપણે અંકોરવાટના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસામાં લોકોની રુચિ વધુ વધારશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે