Home> Health
Advertisement
Prev
Next

Acidity: 5 મિનિટમાં એસિડિટી મટાડી દે એવા જોરદાર છે આ 3 ઉપાય, પેટ અને છાતીની બળતરા તુરંત શાંત થશે

Home Remedies For Acidity:  ખરાબ આહાર અને ફિઝિકલ એક્ટિવિટીના અભાવના કારણે પાચનશક્તિ પર ખરાબ અસર થાય છે. જેના કારણે વારંવાર એસિડિટી થઈ શકે છે. એસિડિટીને દવા વિના મટાડવા માટે આ 3 વસ્તુઓ કામ લાગી શકે છે.
 

Acidity: 5 મિનિટમાં એસિડિટી મટાડી દે એવા જોરદાર છે આ 3 ઉપાય, પેટ અને છાતીની બળતરા તુરંત શાંત થશે

Home Remedies For Acidity: ઘણા લોકો એવા હોય છે જેમને વારંવાર ગેસ અને એસિડિટી થઈ જાય છે. ખાવાના સમયમાં ફેરફાર થાય કે પછી વધારે મસાલેદાર કે તીખું ભોજન ખવાઈ જાય તો તુરંત એસિડિટી થઈ જાય છે. એસિડિટીમાં પેટમાં બળતરા, છાતીમાં બળતરા, ખાટા ઓડકાર જેવી તકલીફો થાય છે. એસિડિટી મટે નહીં ત્યાં સુધી શાંતિ મળતી નથી. જો તમે પણ વારંવાર થતી એસિડિટીથી પરેશાન છો તો આજે તમને નિષ્ણાંતો દ્વારા જણાવેલા 3 સરળ ઉપાયો જણાવીએ. આ 3 ઉપાયો એવા છે જેની મદદથી એસિડિટી તુરંત મટી જશે. કારણ કે આ વસ્તુઓ પાચન ક્રિયાને સુધારે છે અને એસિડિટી ઉત્પન્ન કરતાં કારણોને દૂર કરે છે 

fallbacks

આ પણ વાંચો: Walking vs Running: દોડવું કે ચાલવું ? શરીરની ફિટનેસ માટે શું વધારે લાભકારી ?

જે લોકોને વારંવાર એસિડિટી, ગેસ, અપચો જેવી સમસ્યાઓ રહેતી હોય તેવો દવા લેવાને બદલે આ ઘરેલુ નુસખા ટ્રાય કરી શકે છે. ઘણી વખત વધારે પડતી દવા ખાવાથી પણ એસિડિટીની તકલીફ થઈ જતી હોય છે. આ સ્થિતિમાં તમે આ ઉપાયો કરીને એસિડિટીથી રાહત મેળવી શકો છો. 

એસિડિટી મટાડવાના 3 સરળ ઉપાય 

આ પણ વાંચો: ગરમીના દિવસોમાં બપોરે રોજ ખાવી કાચી ડુંગળી, લૂ નહીં લાગે અને જૂની બીમારીઓ પણ થશે દુર

આદુનો રસ 

જો તમને એસિડિટી થઈ જાય અને છાતીમાં બળતરા થતી હોય તો આદુને વાટી અને તેનો રસ કાઢી લો. આદુના રસને હુંફાળા ગરમ પાણીમાં મિક્સ કરો અને આ પાણી પી લેવું. આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે એસિડને ન્યુટ્રલાઇઝ કરે છે. તેનાથી બળતરા તુરંત શાંત થઈ જશે. 

આ પણ વાંચો: Depression Signs: પુરુષો ડિપ્રેશનમાં હોય તો જોવા મળે આ 5 લક્ષણો

જીરું અને વરિયાળી 

જીરું અને વરિયાળી બંને વસ્તુ પાચનને સુધારવામાં મદદ કરે છે.એસિડિટી થઈ જાય તો આ બંને વસ્તુનું સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે. વરિયાળી અને જીરાને સમાન માત્રામાં લઈ ધીરે ધીરે ચાવીને તેનો રસ ગળે ઉતારવો. જીરું અને વરિયાળીને પાણીમાં ઉકાળીને તે પાણી પણ પી શકાય છે. 

આ પણ વાંચો: સવારે નરણે કોઠે 1 ચમચી આમળા ચૂર્ણ ખાઈ લેવું, શરીરની આ 4 સમસ્યા દવા વિના દુર થશે

એલોવેરા જ્યુસ

એલોવેરા જ્યુસ પણ ગટ હેલ્થને સુધારવામાં મદદ કરે છે. તેના માટે એલોવેરાના તાજા પાનનો ગર કાઢી અને તેનું સેવન કરવાનું હોય છે. એલોવેરા જ્યુસ પણ અસરકારક સાબિત થાય છે અને તે પેટને ઠંડક પહોંચાડે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More