Watermelon v/s Muskmelon: ઉનાળાની સીઝનમાં માર્કેટમાં તરબૂચ અને શક્કરટેટી ભરપુર માત્રામાં મળે છે. આ ફળ ઉનાળામાં ખૂબ ખવાય છે. આ ફળ ખાવાથી શરીરને ડિહાઈડ્રેશનથી બચાવવામાં મદદ મળે છે. આ બંને ફળ ઉનાળામાં શરીરને ઠંડક આપે છે. સાથે જ તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
આ પણ વાંચો: આ પોષકતત્વની ખામીથી હાર્ટ નબળું પડી જાય છે, જાણો શું ખાવાથી હાર્ટ હેલ્ધી રહે ?
જો તમારું વજન વધારે છે તો આ ફળને તમે ડાયટમાં સામે કરી શકો છો. જો કે ઘણા લોકોના મનમાં એવી દુવિધા પણ હોય છે કે તરબૂચ અને શક્કરટેટીમાંથી વધારે કયું ફળ સારું. આજે તમને તરબૂચ અને શક્કરટેટી બંને વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપીએ.
વજન ઘટાડવા માટે તરબૂચ
આ પણ વાંચો: શું ખરેખર સોડા પીવાથી ગેસ મટે? ગેસ-એસિડીટીમાં સોડા કે કોલ્ડડ્રિંક પીવાય કે નહીં જાણો
તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. જે શરીરને લાંબા સમય સુધી હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. સાથે જ તે એન્ટી ઓક્સીડન્ટ, વિટામિન એ, વિટામીન સી અને લાઈકોપીનથી ભરપુર હોય છે. જે પાણીની ખામી અને ડિહાઈડ્રેશનથી બચાવે છે. વજન ઘટાડવા માટે તરબૂચ બેસ્ટ છે. કારણ કે તેમાં કેલેરી ખૂબ ઓછી હોય છે.
આ પણ વાંચો: Vitamin B 12: દૂધમાં આ વસ્તુઓ ઉમેરી પીવાનું શરુ કરો, દવા વિના વધવા લાગશે વિટામિન B12
તરબૂચ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. જેના કારણે વારંવાર ભુખ નથી લાગતી. તરબૂચ વજન ઘટાડવામાં મદદ કરવાની સાથે બોડીને ડિટોક્સ પણ કરે છે.
વજન ઘટાડવામાં શક્કરટેટી ખાવાના લાભ
આ પણ વાંચો: Obesity: અચાનક વધેલું વજન શરીરની અંદરના આ 5 અંગને કરી શકે છે ડેમેજ, સમયસર ચેતી જવું
શક્કરટેટીમાં પણ તરબૂચની જેમ પાણીનું પ્રમાણ વધારે હોય છે. સાથે જ તેમાં કેલેરી અને ગ્લાયસેમિક ઈંડેક્સ પણ ઓછો હોય છે. આ ફળ બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. શક્કરટેટી વિટામિન એ, પોટેશિયમથી ભરપુર હોય છે જે મેટાબોલિઝમને બુસ્ટ કરે છે. પરંતુ જો તમે શરીરને લાંબા સમય સુધી હાઈડ્રેટ રાખવા માંગો છો તો તરબૂચ ખાવું વધારે સારું છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે