Home> India
Advertisement
Prev
Next

Corona virus: ચીનથી 324 ભારતીયોને કરાયા એરલિફ્ટ, આ 2 વિશેષ કેમ્પમાં રાખવામાં આવશે

ચીન (China) ના વુહાન ( Wuhan Coronavirus)  શહેરમાં રહેતા 324 ભારતીયોને શનિવારે દિલ્હી લાવવામાં આવ્યાં. આ તમામ ભારતીયોને દિલ્હીના છાવલા તથા હરિયાણાના માનેસર કેમ્પમાં રોકવાની વ્યવસ્થા કરાઈ છે. આ લોકોએ 14 દિવસ સુધી આ કેમ્પોમાં રહેવું પડશે. 

Corona virus: ચીનથી 324 ભારતીયોને કરાયા એરલિફ્ટ, આ 2 વિશેષ કેમ્પમાં રાખવામાં આવશે

નવી દિલ્હી: ચીન (China) ના વુહાન ( Wuhan Coronavirus)  શહેરમાં રહેતા 324 ભારતીયોને શનિવારે દિલ્હી લાવવામાં આવ્યાં. આ તમામ ભારતીયોને દિલ્હીના છાવલા તથા હરિયાણાના માનેસર કેમ્પમાં રોકવાની વ્યવસ્થા કરાઈ છે. આ લોકોએ 14 દિવસ સુધી આ કેમ્પોમાં રહેવું પડશે. 

fallbacks

દિલ્હી અને હરિયાણામાં બનેલા અસ્થાયી કેમ્પમાં લઈ જતા પહેલા ચીનથી આવનારા તમામ ભારતીયોને સઘન તપાસ કરવામાં આવશે. જેમાં થર્મલ સ્ક્રિનિંગ પણ સામેલ છે.

અત્રે જણાવવાનું કે કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત ચીનનું વુહાન શહેર થયું છે. વુહાનમાં કોરોના વાઈરસનો ચેપ અત્યાર સુધી અલગ અલગ 30 રાજ્યોમાં ફેલાયો છે. વુહાન પ્રાંતમાં જ મોટાભાગના ભારતીય નાગરિકો અને અન્ય નાગરિકો ફસાયેલા છે. 

જુઓ LIVE TV

ભારત સરકારના વિદેશ મંત્રાલયે આ અંગે ચીનની સરકારનો સંપર્ક કર્યો છે. ચીન તથા ભારતની સરકાર વચ્ચે પરસ્પર વાતચીત બાદ હવે આ તમામ વિદ્યાર્થીઓ અને નાગરિકો માદરે વતન પાછા ફરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More