નાણામંત્રી નિર્મલા સીતારમણે હાલમાં આઠમા પગાર પંચ અંગે રાજ્યસભામાં કેટલીક મહત્વની વાતો કરી. તેમણે ક્હ્યું કે પીએમ મોદીએ જાન્યુઆરી 2025માં આઠમાં પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. જેનો હેતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન ધારકોના પગાર અને ભથ્થાને રિવાઈઝ કરવાનો છે.
તેમણે કહ્યું કે 1 જાન્યુઆરી 2016 પહેલા રિટાયર થયેલા તમામ કેન્દ્રીય કર્મચારીઓને એટલું જ પેન્શન મળે છે, જેટલું 1 જાન્યુઆરી 2016 બાદ રિટાયર થયેલા કર્મચારીઓને મળે છે. છઠ્ઠા પગાર પંચના પ્રસ્તાવો મુજબ પેન્શનર્સ વચ્ચે કેટલુક અંતર કરવામાં આવ્યું હતું પરંતુ નવા સંશોધન હેઠળ આ અંતરને સાફ કરી દેવાયું છે. જો કે હાલના પેન્શનમાં કોઈ ફેરફાર કરાયો નથી.
તેમણે કહ્યું કે હાલના સિવિલ પેન્શનધારકોના પેન્શનમાં કોઈ ફેરફાર થશે નહીં. આ સાથે તેમણે કહ્યું કે સંરક્ષણ પેન્શનર્સ ઉપર પણ તેની કોઈ અસર થશે નહીં. કારણ કે તેઓ અલગ નિયમો હેઠળ આવે છે. નિર્મલા સીતારમણના જણાવ્યાં મુજબ આ કોઈ નવું સંશોધન નથી પરંતુ જૂના નિયમોની ફરીથી પુષ્ટિ કરાઈ છે જે 1 જૂન 1972થી જ પ્રભાવી છે.
ડિફેન્સ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સને સતાવતો હતો આ ડર
લોસભાએ ફાઈનાન્સ બિલ, 2025ના ભાગ રૂપે સેન્ટ્રલ પે કમીશન (પેન્શન) રૂલ્સ અને કન્સોલિડેટેડ ફંડ ઓફ ઈન્ડિયાથી પેન્શન લાયાબિલિટીઝ પર ખર્ચના સિદ્ધાંત સાથે જોડાયેલા વેલિડેશનના કાયદાને 25 માર્ચના રોજ પાસ કર્યું હતું. વેલિડેશન સંલગન આ કાયદાના કારણે ડિફેન્સ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સને પોતાના પેન્શન અંગે ચિંતા સતાવવા લાગી હતી. તેમને લાગતું હતું કે તેના કારણે તેમનું પેન્શન ઘટી શકે છે.
Hon'ble Prime Minister Shri @narendramodi had in January 2025 approved the establishment of the 8th Central Pay Commission (CPC) to revise the salaries and benefits of Central Government employees and pensioners.
All Central Government pensioners who had retired before 1.1.2016… pic.twitter.com/mRH81o8Qfa
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) March 27, 2025
વેલિડેશન રૂલ્સના કારણે પેન્શનમાં કોઈ ફેરફાર નહીં
નાણામંત્રીએ 27 માર્ચના રોજ રાજ્યસભામાં કહ્યું કે વેલિડેશન રૂલ્સના કારણે સિવિલ પેન્શનર્સના વર્તમાન પેન્શનમાં કોઈ પણ ફેરફાર આવશે નહીં. વેલિડેશન રૂલ્સની ડિફેન્સ પેન્શનર્સ પર કોઈ પણ અસર પડવાની નથી. કારણ કે તેઓ બીજા રૂલ્સ હેઠળ આવે છે. તેમણે કહ્યું કે 1 જાન્યુઆરી 2016 પહેલા રિટાયર થયેલા તમામ સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સને તે કર્મચારીઓ જેટલું જ પેન્શન મળે છે જે 1 જાન્યુઆરી 2016 બાદ રિટાયર થયા છે.
તેમણે એમ પણ કહ્યું કે હાલના રૂલ્સનું વેલિડેશન છઠ્ઠા સેન્ટ્રલ પે કમીશનની ભલામણોને ધ્યાનમાં રાખતા કરાયું છે. આ કોઈ પેન્શન રૂલ્સ અને ઈન્સ્ટ્રક્શન્સમાં કોઈ પ્રકારનું સંસોધન નથી. નાણામંત્રીના આ પ્રકારની સ્પષ્ટતા બાદ હવે આશા છે કે ડિફેન્સ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સને પોતાના પેન્શન અંગે કોઈ પણ પ્રકારની ચિંતા નહીં રહે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે