Home> India
Advertisement
Prev
Next

હે ભગવાન, આ શું થઈ રહ્યું છે ! ફરી એર ઇન્ડિયાના વિમાનનું એન્જિન થયું ખરાબ, મુંબઈ જઈ રહી હતી ફ્લાઇટ

Glitch on Air India San Francisco-Mumbai Flight : અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાંથી લોકો હજુ સુધી બહાર આવ્યા નથી અને વિમાનમાં સતત થતી ખામીએ તમામ મુસાફરોના જીવ જોખમમાં મુકી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોમાં એર ઇન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ ખામીના સમાચાર વધી ગયા છે. ત્યારે લોકો મૂંઝવણમાં છે કે એર ઇન્ડિયા સાથે આવું કેમ થઈ રહ્યું છે ? 

હે ભગવાન, આ શું થઈ રહ્યું છે ! ફરી એર ઇન્ડિયાના વિમાનનું એન્જિન થયું ખરાબ, મુંબઈ જઈ રહી હતી ફ્લાઇટ

Glitch on Air India San Francisco-Mumbai Flight : સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના એક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે મંગળવારે સવારે કોલકાતા એરપોર્ટ પર તેના નિર્ધારિત સ્ટોપ દરમિયાન મુસાફરોને નીચે ઉતરવાની ફરજ પડી હતી. મીડિયા અહેવાલ મુજબ, સોમવાર-મંગળવાર રાત્રે સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ સમસ્યા સર્જાતા મોટી દુર્ઘટના ટળી હતી. ફ્લાઈટ AI180 કોલકાતા એરપોર્ટ પર ટેકનિકલ ખામીને કારણે બધા મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા.

fallbacks

આ ફ્લાઈટ રાત્રે 12:45 વાગ્યે કોલકાતા પહોંચી હતી, પરંતુ ફ્લાઈટ શરૂ કરતા પહેલા તેના એક એન્જિનમાં સમસ્યા જોવા મળી હતી. સાંજે લગભગ 5:20 વાગ્યે, ક્રૂએ જાહેરાત કરી હતી કે સલામતી માટે બધા મુસાફરોને વિમાનમાંથી બહાર નીકળવું પડશે. કેપ્ટને કહ્યું કે આ નિર્ણય મુસાફરોની સલામતી માટે લેવામાં આવ્યો છે. વિમાનનું હજુ પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ પહેલો કિસ્સો નથી જ્યારે એર ઈન્ડિયાના વિમાનોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોય. આ પહેલા પણ ઘણી ફ્લાઇટ્સને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.

દિલ્હી-રાંચી ફ્લાઇટ પણ પરત આવી

સોમવારે, દિલ્હીથી રાંચી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં પણ ટેકનિકલ સમસ્યાની ફરિયાદ મળી હતી. ટેકઓફ થયાના થોડા સમય પછી, આ ફ્લાઇટ દિલ્હી પાછી આવી. બોઇંગ 737 મેક્સ 8 વિમાન સાંજે 6:20 વાગ્યે રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર ઉતરવાનું હતું, પરંતુ તપાસ પછી તેને ફરીથી શરૂ કરવામાં આવ્યું. એરલાઇને માફી માંગી અને કહ્યું, "ટેકનિકલ સમસ્યાને કારણે ફ્લાઇટ પરત આવી, તપાસ પછી ફ્લાઇટ ઠીક થઈ ગઈ હતી."

હોંગકોંગથી દિલ્હી ફ્લાઇટને પણ અસર 

સોમવારે બીજી એક ઘટના બની જ્યારે હોંગકોંગથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI315ને આકાશમાંથી જ પરત ફરવું પડ્યું. જેમાં બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં ટેકનિકલ સમસ્યાની ફરિયાદ બાદ પાઇલટે આ પગલું ભર્યું. ફ્લાઇટ બપોરે 12:20 વાગ્યે દિલ્હીમાં ઉતરવાની હતી, પરંતુ સલામતી તપાસ માટે હોંગકોંગમાં રોકાઈ ગઈ. બધા મુસાફરો સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા.

મુંબઈ-અમદાવાદ ફ્લાઇટ રદ

અગાઉ, મુંબઈથી અમદાવાદ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પણ રદ કરવામાં આવી હતી. એરબસ A321-211 વિમાનમાં વિલંબ થવાને કારણે, ક્રૂનો ડ્યુટી સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી, જેના કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવા કિસ્સાઓ અને સતત ટેકનિકલ સમસ્યાઓ હવે એરલાઇન પર પ્રશ્નો ઉભા કરી રહી છે. છેવટે, એર ઇન્ડિયાને કોની ખરાબ નજર લાગી છે ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More