Indian Navy Attack on Pakistan: ભારતીય વાયુસેના બાદ નેવી પણ હવે મેદાનમાં આવી ગઈ છે. અરબ સાગરમાં તૈનાત INS વિક્રાંતે કરાચીને નિશાન બનાવ્યું અને ભારે તબાહી મચાવવાની શરૂ કરી દીધી. નેવીના હુમલાથી કરાચી પોર્ટ સહિત શહેરમાં ભારે આગ લાગી છે.
કરાચી અને ઓરમારા પોર્ટ પર છોડી મિસાઈલો
રક્ષાસૂત્રોના જણાવ્યાં મુજબ INS વિક્રાંતથી પાકિસ્તાનના કરાચી અને ઓરમારા પોર્ટ પર અનેક મિસાઈલો છોડવામાં આવી છે. જેનાથી બંને પોર્ટ પર ભયંકર આગ લાગી છે. આ હુમલાથી બંને પોર્ટ શહેરોમાં ચારેબાજુ ધૂમાડો ફેલાયો છે. લોકો ગભરાહટમાં કાંઠા વિસ્તારો છોડીને અંદરની બાજુ ભાગી રહ્યા છે.
INS વિક્રાંતે કરાચી પોર્ટ તબાહ કર્યો
રિપોર્ટ મુજબ કરાચી અને ઓરમારામાં પાકિસ્તાની નેવીના બેસ છે. જ્યાં તેમના મોટા અધિકારીઓના મુખ્યાલય, યુદ્ધ જહાજ અને સબમરીન તૈનાત રહે છે. આઈએનએસ વિક્રાંતે આ બંને નેવી બેસને બરબાદ કરીને પાકિસ્તાનની નેવીને મોટાભાગે પંગુ કરવામાં સફળતા મેળવી છે. હાલ ભારતીય નેવીનું ઓપરેશન ચાલુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે