પટનાઃ બિહારમાં એકવાર આકાશમાંથી આફત વરસી છે. મંગળવારે આકાશમાંથી વીજળી પડવાથી 11 લોકોના મોત થયા છે. રાજ્યના 5 જિલ્લામાં આકાશમાંથી વીજળી પડવાથી માનવીય ક્ષતી થઈ છે. રાજધાનીમાં 2, છાપરામાં 5, નવાદામાં 2, લખીસરાયમાં 1 અને જમુઈમાં એકનું મોત થયું છે.
તો મુખ્યમંત્રી નીતીશ કુમારે મૃત્યુ પામનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, આપદાના આ સમયમાં તેઓ પ્રભાવિત પરિવારોની સાથે છે. નીતીશ કુમારે મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે.
આ પહેલા ગુરૂવારે બિહારમાં આકાશમાંથી વીજળી પડવા અને તોફાને મોટી તબાહી મચાવી હતી. વીજળી પડવાથી બિહારમાં 83 લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે ઘણા લોક દાઝી ગયા હતા. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પણ વીજળી પડવાથી ઓછામાં ઓછા 24 લોકોના મોત થઈ ગયા હતા.
ગુરૂવારે આકાશીય વીજળી પડવાથી સૌથી વધુ મોત ગોપાલગંજમાં થયા હતા જ્યાં પર 13 લોકોના મોત થયા હતા. જ્યારે મધુબની અને નબાદામાં આઠ-આઠ મોત થયા હતા. આ ઘટનાને લઈને પીએમ મોદીએ પણ સંવેદના વ્યક્ત કરી હતી. રાજ્ય સરકારે આ કુદરતી આપદામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે