Home> India
Advertisement
Prev
Next

CASTE CENSUS: વસ્તી ગણતરીમાં લોકોને પૂછવામાં આવશે આ 29 અંગત સવાલ, તમે પણ જાણી લો

process of caste census: દેશમાં વસ્તી ગણતરી થવા જઈ રહી છે. આ વખતે સરકારે જાતિગત વસ્તી ગણતરીને મંજૂરી આપી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તે ક્યારે શરૂ થશે અને આ દરમિયાન કયા પ્રશ્નો પૂછવામાં આવશે.
 

 CASTE CENSUS: વસ્તી ગણતરીમાં લોકોને પૂછવામાં આવશે આ 29 અંગત સવાલ, તમે પણ જાણી લો

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લે વર્ષ 2011મા વસ્તી ગણતરી થઈ હતી. ત્યારબાદ કોરોનાને કારણે 2021મા વસ્તી ગણતરી ટાળી દેવામાં આવી હતી. તાજેતરમાં મોદી સરકારે જાતિય વસ્તી ગણતરી પર મહોર લગાવી હતી. આ દરમિયાન કહેવામાં આવ્યું કે મૂળ જનગણનામાં જાતિગત જનગણના કરાવવામાં આવશે. હવે દેશમાં ફરી વસ્તી ગણતરી થવાની તારીખ સામે આવી ગઈ છે. આવો જાણીએ ક્યારથી વસ્તી ગણતરી શરૂ થશે અને આ દરમિયાન કયા-કયા સવાલો પૂછવામાં આવશે.

fallbacks

કઈ રીતે થાય છે વસ્તી ગણતરી
વસ્તી ગણતરી માટે સરકારી કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવે છે. આ લોકો નક્કી ક્ષેત્રમાં પહોંચે છે અને લોકોના ઘરે જઈને વિવિધ જાણકારી મેળવ છે. સરકાર તેને જનગણના માટે ખાસ ઓળખપત્ર આપે છે, પરંતુ જો કોઈ વ્યક્તિને શંકા હોય તો તે તેને સત્તાવાર ઓળખ પત્ર દેખાડવા માટે કહી શકે છે. બે તબક્કામાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. પ્રથમ હાઉસિંગ અને બીજુ હાઉસિંગ સેન્સસ. હાઉસિંગમાં ઘર સાથે જોડાયેલા સવાલ જેમ કે વીજળી, પેયજલ, શૌચાલય અને સંપત્તિ સાથે જોડાયેલા સવાલ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ GST સ્લેબ 4માંથી થશે 3! 12% નો સ્લેબ હટાવવાની તૈયારી, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી?

કયા સવાલ પૂછવામાં આવે છે
બીજું ફોર્મ રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરનું છે. તેમાં ઘરના સભ્યોને લગતા પ્રશ્નો હોય છે જેમ કે લિંગ, માતાનું નામ, જન્મ તારીખ, પિતાનું નામ, વૈવાહિક સ્થિતિ, કામચલાઉ સરનામું, વર્તમાન સરનામું, પરિવારના વડા, પરિવારના વડા સાથેનો સંબંધ, વર્તમાન વૈવાહિક સ્થિતિ, લગ્ન સમયે ઉંમર, ધર્મ, સંપ્રદાય, અનુસૂચિત જાતિ અથવા જનજાતિ, અપંગતા, માતૃભાષા, અન્ય ભાષાઓનું જ્ઞાન, સાક્ષરતા સ્થિતિ, વર્તમાન શૈક્ષણિક સ્થિતિ, ઉચ્ચતમ શિક્ષણ, પાછલા વર્ષમાં રોજગાર, આર્થિક પ્રવૃત્તિની શ્રેણી, રોજગાર, ઉદ્યોગની પ્રકૃતિ, રોજગાર અને સેવાઓ, બિન-આર્થિક પ્રવૃત્તિની શ્રેણી, તમને કેવા પ્રકારનો રોજગાર જોઈએ છે, કામ પર જવાની રીત વગેરે. આ પ્રક્રિયા દરમિયાન, સામાન્ય રીતે 29 પ્રશ્નો પૂછવામાં આવે છે.

ક્યારે શરૂ થશે વસ્તી ગણતરી
ભારતમાં આ વખતે વસ્તી ગણતરી બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કો 1 ઓક્ટોબર 2026થી શરૂ થશે. આ દરમિયાન દેશના પહાડી વિસ્તારમાં રહેલા લોકોની જનગણના કરવામાં આવશે. તો બીજા તબક્કામાં 1 માર્ચ 2027થી અન્ય વિસ્તારમાં રહેતા લોકોની ગણતરી થશે. આ વખતે જાતિ આધારિત વસ્તી ગણતરી થશે. જાતિગત જનગણનાની સૌથી મોટી અસર ઓબીસી વર્ગ પર જોવા મળશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More