Shashi Tharoor Surgical Strike Controversy: જ્યારથી શશિ થરૂરે વિદેશમાં સર્જિકલ સ્ટ્રાઈક પર નિવેદન આપ્યું છે, ત્યારથી કોંગ્રેસના નેતાઓ પોતાના જ સાથી સાંસદ સામે આક્રમક બન્યા છે. કેટલાક તેમના પુસ્તકના પાના બતાવી રહ્યા છે તો કેટલાક તેમને ભાજપના સુપર પ્રવક્તા કહી રહ્યા છે. ટીવી ડિબેટથી લઈને ચર્ચાઓ સુધી એક જ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું મોદી સરકાર દરમિયાન પહેલીવાર સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી? શું કોંગ્રેસ સરકાર એટલે કે UPAના 10 વર્ષમાં કોઈ સર્જિકલ સ્ટ્રાઈક થઈ નથી? કોંગ્રેસના નેતાઓ અત્યાર સુધીના આંકડા આપી રહ્યા હતા, આજે પાર્ટીએ સત્તાવાર રીતે સંપૂર્ણ યાદી જાહેર કરી છે.
મનમોહનના શાસન દરમિયાન એક જ વર્ષમાં ત્રણ વખત સર્જિકલ સ્ટ્રાઈક
કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકની યાદી ચોંકાવનારી છે, કારણ કે તે દર્શાવે છે કે, મનમોહન સિંહની સરકાર દરમિયાન એક જ વર્ષમાં પાકિસ્તાનને ત્રણ વખત પાઠ ભણાવવામાં આવ્યો હતો. જી હા... તે વર્ષ 2013 હતું, એટલે કે મોદી સરકાર સત્તામાં આવી તેના એક વર્ષ પહેલા. એટલું જ નહીં, ભાજપ સરકારની રચનાના લગભગ ચાર મહિના પહેલા જાન્યુઆરી 2014માં ભારતીય સેનાએ સરહદ પાર કરીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.
પાકિસ્તાન બોર્ડર પર ફરી વધ્યો તણાવ! ગોળીબારી બાદ PAK સેનાએ તૈનાત કર્યા ટેન્ક
#BreakingNews : PAK पर सर्जिकल स्ट्राइक की लिस्ट जारी, CONG ने जारी की 6 स्ट्राइक की लिस्ट#TaalThokKe #PoliticsOnStrike #Congress #OperationSindoor | @anuraagmuskaan pic.twitter.com/25YuA8ff4T
— Zee News (@ZeeNews) May 29, 2025
6 વર્ષમાં 6 વખત સર્જિકલ સ્ટ્રાઈક
કોંગ્રેસે 2008થી 2014 દરમિયાન લગભગ 6 વર્ષમાં 6 સર્જિકલ સ્ટ્રાઈકની લિસ્ટ જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન 16 જૂન 2008ના રોજ પૂંછમાં ભટાલ સેક્ટર, 30 ઓગસ્ટ-1 સપ્ટેમ્બર 2011ના રોજ નીલમ નદી ઘાટી, શારદા સેક્ટર અને 6 જાન્યુઆરી 2013ના રોજ સાવન પાત્રા ચેકપોસ્ટના નામ જણાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં આગામી 2 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદનો ખતરો! આ 12 જિલ્લામાં અપાયું એલર્ટ
𝐅𝐨𝐫 𝐘𝐨𝐮𝐫 𝐈𝐧𝐟𝐨𝐫𝐦𝐚𝐭𝐢𝐨𝐧 👇🏼 pic.twitter.com/kkTLrmr3BS
— Congress (@INCIndia) May 29, 2025
આ ઉપરાંત કોંગ્રેસ સરકાર દરમિયાન 27-28 જુલાઈ 2013, 6 ઓગસ્ટ 2013 અને 14 જાન્યુઆરી 2014ના રોજ સર્જિકલ સ્ટ્રાઈકનો પણ દાવો કરવામાં આવ્યો છે. શશિ થરૂરે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકની ચર્ચા કરતી વખતે કહ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં ભારતનું વલણ જે રીતે બદલાયું છે, તેનાથી આતંકવાદીઓને પણ ખ્યાલ આવી ગયો છે કે તેમને નુકસાન સહન કરવું પડશે. વધુમાં તેમણે 2016માં પહેલી વખત સર્જિકલ સ્ટ્રાઈક વિશે વાત કરી હતી.
આવી રહ્યો છે 25 કલાકનો દિવસ? પૃથ્વી પર થઈ રહેલા આ પરિવર્તનથી ટેન્શનમાં વૈજ્ઞાનિકો
ઉદિત રાજે કહ્યું, કોંગ્રેસે સેનાની ક્રેડિટ નથી લીધી
પાર્ટીના વરિષ્ઠ નેતા ઉદિત રાજે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, કોંગ્રેસ સરકારે પાકિસ્તાન પર 6 વખત સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. તેની ક્રેડિટ કોંગ્રેસ પાર્ટીએ લીધો ન હતો અને સેનાના પરાક્રમ અને શોર્ય તેમની પાસે રહ્યા અને હોવું પણ જોઈએ. સેનાએ શાનદાર ઓપરેશન સિંદૂર હાથ ધર્યું, તેને સલામ. ભાજપે કઈ સર્જિકલ સ્ટ્રાઈક કરી જેનો પ્રચાર કરી રહી છે? સેનાનું સન્માન કોંગ્રેસ કેવી રીતે કરવું તે જાણે છે, ભાજપ સેનાનું સન્માન અને ક્રેડિટ કેવી રીતે લઈ શકે? સેનાનું અપમાન સહન નહીં થાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે