Home> India
Advertisement
Prev
Next

Corona Update: કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ નોંધાયા

ત્રીજી લહેરની આહટ વચ્ચે છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસ (Coronavirus) ના નવા 25 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 354 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે પણ 25,072 જેટલા નવા કેસ નોંધાયા હતા. 

Corona Update: કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ નોંધાયા

નવી દિલ્હી: ત્રીજી લહેરની આહટ વચ્ચે છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસ (Coronavirus) ના નવા 25 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 354 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે પણ 25,072 જેટલા નવા કેસ નોંધાયા હતા. 

fallbacks

એક દિવસમાં આટલા નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25,467 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 3,24,74,773 પર પહોંચી ગયો છે. એક દિવસમાં જો કે 39,486 લોકો રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,17,20,112 પર પહોંચી છે. 

24 કલાકમાં 354 લોકોના મૃત્યુ
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 354 લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે કોરોનાના કારણે 389 લોકોના મૃત્યુ નોંધાયા હતા. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 4,35,110  પર પહોંચી ગયો છે. 

63 લાખથી વધુ ડોઝ અપાયા
કોરોનાની ત્રીજી લહેરના ભણકારાના પગલે રસીકરણ અભિયાન પણ પૂર ઝડપે ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના રસીના 63,85,298 ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં અપાયેલા રસીના કુલ ડોઝની સંખ્યા હવે 58,89,97,805 પર પહોંચી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More