Home> India
Advertisement
Prev
Next

કોરોના: નિઝામુદ્દીન મરકઝનું શું છે ચીન કનેક્શન? ક્રાઇમ બ્રાંચ કરી રહી છે તપાસ

કોરોના (Coronavirus)નું મરકઝ કનેક્શનને લઇને તપાસ ચાલી રહી છે. દેશમાં ફેલાયેલા કોરોનાના સંક્રમણનું એપિક સેન્ટર બનેલા નિઝામુદ્દીન મરકઝમાં શું કોરોના ચીનથી તો નથી આવ્યો? આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

કોરોના: નિઝામુદ્દીન મરકઝનું શું છે ચીન કનેક્શન? ક્રાઇમ બ્રાંચ કરી રહી છે તપાસ

નવી દિલ્હી: કોરોના (Coronavirus)નું મરકઝ કનેક્શનને લઇને તપાસ ચાલી રહી છે. દેશમાં ફેલાયેલા કોરોનાના સંક્રમણનું એપિક સેન્ટર બનેલા નિઝામુદ્દીન મરકઝમાં શું કોરોના ચીનથી તો નથી આવ્યો? આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

fallbacks

ક્રાઇમ બ્રાંચ આ મામલે પણ તપાસ કરી રહી છે કે, જ્યારે ચીનમાં કોરોનાનો કહેર તેના ઉચ્ચતમ સ્તર પર હતો, તે સમયે ચીનથી પણ 7 જમાતી મરકઝમાં વાર્ષિક જલસામાં સામેલ થવા આવ્યા હતા. તે સમયે મરકઝના મૌલાના સાદે જ આ જમાતીઓને મરકઝમાં આવવા અને રોકાવાની પરવાનગી આપી હતી.

આ પણ વાંચો:- દિલ્હીમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ, CM કેજરીવાલે આપ્યું મોટું નિવેદન

આ સાતે જમાતી ટૂરિસ્ટ વીઝા પર ભારત આવ્યા હતા અને વીઝા નિયમોનું ઉલ્લંઘન કરી મરકઝના કાર્યક્રમમાં સામેલ થયા હતા.

ક્રાઇમ બ્રાંચે આ સાત ચીની જમાતિઓની સામે પણ ચાર્જશીટ દાખલ કરી છે. ક્રાઇમ બ્રાંચે તપાસ કરી રહી છે કે, આ લોકો મરકઝમાં આવ્યા પહેલા ક્યાં-ક્યાં ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More