જસદણ : જસદણના જૂના રેલવે સ્ટેશન પાસે ઝાડ પર લટકીને યુવાને ગળેફાંસો ખાઇ લીધો હતો. કોઇ રાહદારીનું ધ્યાન જતા તેમણે 108ને અને જસદણ પોલીસને જાણ કરી હતી. ઘટના અંગે જાણ થતા પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવાનનાં મૃતદેહને પીએમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા: જેલમાંથી જામીન છુટ્યા બાદ સરઘસ કાઢનારા આરોપીને પોલીસે ફરી જેલ ભેગો કર્યો
મૃતક યુવાન કાળાસરનો રહેવાી પ્રવીણ બાબુભાઇ ચૌહાણ (ઉ.વ 30) હોવાનું જાણવા મળ્યું હતું. જે પેટ્રોલ પંપમાં નોકરી કરતો હતો. કયા કારણથી ગળેફાંસો ખાધો તે અંગેની વિગત હજી જાણવા મળી નથી. હાલ તો જસદણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ઉપરાંત તેના પરિવાર અને મિત્રોની પુછપરછ પણ આદરી છે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે