તમારા મનમાં એક પ્રશ્ન એ પણ થતો હશે કે આખરે આવું હરામી નાળા નામ કેમ પડ્યું હશે? હરામી શબ્દ અપશબ્દ જેવું લાગે છે. થોડા સમય પહેલા હરામી નાળાનું નામ બદલવાની વાતો પણ થતી હતી. ગુજરાતના કચ્છમાં 22 કિલોમીટરમાં ફેલાયેલો આ એક મોટો એરિયા છે જેનો ઘણો હિસ્સો પાણીથી ડૂબાડૂબ છે અને એક મોટાભાગમાં દળદળ (લગભગ આઠ કિમીમાં) છે. જેમાં ચાલવું સરળ નથી. દળદળ (કાદવ)વાળી જમીન પર કોઈ નિર્માણ શક્ય નથી અને આવામાં બીએસએફના જવાન અસ્થાયી સાધનોથી સરહદની નિગરાણી કરે છે. અહીંના હવામાનની સાથે સાથે ભૌોગોલિક પરિસ્થિતિ પણ પળેપળ બદલાતી રહે છે. આવી કપરી સ્થિતિમાં દુશ્મનની દરેક હરકત પર નિગરાણી રાખવી એ એક સૌથી મોટો પડકાર છે.
શું છે આ હરામી નાળા?
હરામી નાળા ગુજરાતના કચ્છમાં 22 કિમી લાંબી એક સમુદ્રી ચેનલ છે જે ભારત અને પાકિસ્તાનની સરહદને વહેંચે છે. તેનો એક મોટો હિસ્સો અરબ સાગરના ખારા પાણીથી ડૂબેલો રહે છે. તો એક મોટા ભાગમાં દળદળ છે. તેનો એક હિસ્સો રાજસ્થાનના બાડમેરને પણ સ્પર્શે છે. સમુદ્રમાં ભરતી આવવાથી આ વિસ્તારમાં એક જેવી સ્થિતિ રહેતી નથી. ભરતી આવવાથી દળદળ અને તમામ બીજી ચીજોની સ્થિતિ બદલાતી રહે છે. આ વિસ્તારમાં કોઈ સ્થાયી નિશાન રાખવું મુશ્કેલ છે. આવામાં પાકિસ્તાની માછીમારો અવારનવાર દરિયાઈ સરહદનો ભંગ કરતા પકડાય છે. અહીંની સ્થિતિને પ્રિડિક્ટ કરવી પણ ખુબ મુશ્કેલ છે. આઝાદી પહેલા જ્યારે લોકો સિંધ તરફથી કચ્છ આવતા હતા ત્યારે તેમણે સફરમાં ખુબ મુશ્કેલીઓ ઉઠાવવી પડતી હતી. હરામી નાળાના વિસ્તારમાં દળદળ તો છે જ અહીં પાણીની ઊંડાઈ પણ બદલાતી રહે છે. એવું કહે છે કે સામાન્ય બોલચાલથી જ આ સમુદ્રી ચેનલનું નામ હરામી નાળા પડી ગયું. જ્યાંની સ્થિતિનું કોઈ સાચું અનુમાન લગાવી શકાતું નથી. કચ્છથી પાકિસ્તાન તરફ જવું વધુ કપરું છે પરંતુ પહેલા પાકિસ્તાન તેનો જ ફાયદો ઉઠાવીને આતંકીઓની ઘૂસણખોરી કરાવતું રહ્યું. પરંતુ હાલના વર્ષોમાં અહીં બીએસએફની ચોક્સાઈએ આતંકીઓના નાપાક મનસૂબા ધ્વસ્ત કર્યા છે.
અનેક પડકાર
અહીંનો આખો વિસ્તાર કેટલો કપરો છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે બીએસએફની બોટ પણ ક્યારેક ફસાઈ જાય છે. ભરતી-ઓટની સ્થિતિમાં જ્યારે પાણી નીચે ઉતરે તો અનેકવાર બોટ કાદવમાં ફસાઈ જાય છે કે પાણી ઓછું થવા પર તરતી નથી. આ પરેશાનીનો સામનો બીએસએફએ કરવો પડે છે. દળદળવાળી જમીન પર બીએસએફના જવાનોએ ગમબૂટ પહેરીને ચાલવું પડે છે. અહીંના દળદળ માં નાના નાના શંખ હોય છે અને જો ખુલ્લા પગે ચાલો તો પગમાં વાગે છે. એટલું જ નહીં નાના નાના કરચલા અને ઉડતા જીવડા પણ બીએસએફની મુશ્કેલીઓ વધારે છે. અહીં દૂર દૂર સુધી કોઈ રહણાંક વિસ્તાર નથી. મીઠાના પાણીમાં એકવાર કપડાં પલળે તો પહેરવામાં અસુવિધા રહે છે. એટલું જ પૂરપાટ પવન અને ધોમધખતો તાપ પણ મોટા પડકારો છે. આવામાં આ સમગ્ર વિસ્તારમાં બીએસએફના જવાન ખુબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં બોર્ડરની નિગરાણી કરે છે.
2008માં 26/11નો હુમલો કરનારા આતંકીઓ હરામી નાળા દ્વારા ભારતીય સરહદમાં દાખલ થયા હતા. તેમાં અજમલ કસાબ પણ સામેલ હતો. જેણે મુંબઈમાં તબાહી મચાવી હતી. મુંબઈ હુમલા બાદ કચ્છ સાથે જોડાયેલી પાકિસ્તાનની બોર્ડર પર સતત તકેદારી વધારવામાં આવી છે. અહીં બીએસએફના crocodile commando પણ તૈનાત રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે