Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્ર: નંદુરબારમાં બસ પુલ પરથી નીચે ખાબકતા 5ના મૃત્યુ, 35 ઘાયલ, જુઓ હચમચાવી નાખે તેવા PHOTOS

મહારાષ્ટ્રના નંદુરબારમાં એક બસ પુલ પરથી નીચે 40 થી 50 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકતા 5 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 35 જેટલા લોકો ઘાયલ થયા છે.

મહારાષ્ટ્ર: નંદુરબારમાં બસ પુલ પરથી નીચે ખાબકતા 5ના મૃત્યુ, 35 ઘાયલ, જુઓ હચમચાવી નાખે તેવા PHOTOS

નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) ના નંદુરબારમાં એક બસ પુલ પરથી નીચે 40 થી 50 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકતા 5 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 35 જેટલા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત નંદુરબારના ખામચુંદર ગામ પાસે થયો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. 

fallbacks

fallbacks

મળતી માહિતી મુજબ આજે સવારે પ્રવાસીઓથી ખીચોખીચ બસ વહેલી સવારે નંદુરબાર જિલ્લાના ખામચુંદર ગામમાં પુલ પરથી નીચે ખાઈમાં ખાબકી. જેમાં 5 લોકોના મોત થયા જ્યારે 35 લોકો ઈજાગ્રસ્ત થયા. ઘાયલોને નંદુરબારની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે. 

fallbacks

સુપ્રિટેન્ડેટન્ટ ઓફ પોલીસ મહેન્દ્ર પંડિતના જણાવ્યાં મુજબ આ ઘટના વહેલી સવારે ઘટી. દુર્ઘટનાગ્રસ્ત બસ મલ્કાપુરથી સુરત જઈ રહી હતી. ત્યારે જ 60થી 80 ફૂટ ખાડામાં ખાબકી.

fallbacks

પંડિતે જણાવ્યું કે મૃતકોમાં ડ્રાઈવર, ક્લિનર અને 3 મુસાફરોનો સમાવેશ થાય છે. તેઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતાં. અન્ય ઘાયલોને સારવાર અર્થે નંદુરબારની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાસ્થળે બચાવકાર્ય ચાલુ છે. 

(તમામ તસવીરો-સાભાર એએનઆઈ)

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More