Home> India
Advertisement
Prev
Next

મધ્યમ વર્ગના લોકો માટે મોટા ખુશખબર, આજથી આવકવેરાના નિયમોમાં થયો ધરખમ ફેરફાર

એક જાન્યુઆરીએ બજેટની જાહેરાતોમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના નવા રિજીમ અંગે અનેક મોટી જાહેરાતો કરી હતી. જે  હવે એક એપ્રિલ એટલે કે આજથી લાગૂ  થઈ છે. જાણો વિગતવાર માહિતી. 

મધ્યમ વર્ગના લોકો માટે મોટા ખુશખબર, આજથી આવકવેરાના નિયમોમાં થયો ધરખમ ફેરફાર

આજે એટલે કે 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ ફાઈનાન્શિયલ યરમાં અનેક એવા ફેરફાર થવાના છે જેનો ફાયદો મિડલ ક્લાસને મળશે. જેમાંનો એક નિર્ણય આવકવેરા સંલગ્ન છે. ગત 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના નવા રિજીમ અંગે અનેક જાહેરાતો કરી હતી. જે  હવે એક એપ્રિલથી લાગૂ થવા જઈ રહી છે. જાણો વિગતો. 

fallbacks

12 લાખ રૂપિયા સુધીની છૂટ
નિર્મલા સીતારમણે નોકરીયાતો અને મિડલ ક્લાસને મોટી રાહત આપતા 12 લાખ રૂપિયા સુધની વાર્ષિક આવકને સંપૂર્ણ રીતે આવકવેરામાંથી છૂટ આપવાની જાહેરાત કરી છે. આવકવેરા પર છૂટ નવી કર વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરનારા કરદાતાઓને મળશે. નવા ટેક્સ રિજીમને પસંદ કરનારા પગારદારો માટે 75,000 રૂપિયાની સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે હવે 12.75 લાખ રૂપિયાની રકમ સુધી કોઈ આવકવેરો ભરવો પડશે નહીં. ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર થયો છે. જેનાથી 25 લાખ રૂપિયા સુધી વાર્ષિક કમાણી કરનારા કરદાતાઓને ટેક્સમાં 1.1 લાખ રૂપિયાની બચત થઈ શકશે. 

કેટલા લોકોને થશે ફાયદો
આવકવેરામાં છૂટ લિમિટ 7 લાખ રૂપિયાથી વધારીને 12 લાખ રૂપિયા કરવાથી એક કરોડ લોકોએ કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. ટેક્સ સ્લેબમાં ફેરફારથી 6.3 કરોડ લોકો એટલે કે 80 ટકાથી વધુ ટેક્સપેયર્સને લાભ થશે. આ સાથે જ વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ પર છૂટ મર્યાદાને હાલના 50,000 રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે. 

આવકવેરાના નવા સ્લેબ
નવી કર વ્યવસ્થા હેઠળ 12 લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક થવા પર ચાર લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી થશે. ત્યારબાદ ચારથી આઠ લાખ રૂપિયાની આવક પર પાંચ ટકા, આઠથી 12 લાખ રૂપિયા સુધીની આવક પર 10 ટકા અને 12થી 16 લાખ રૂપિયા સુધીની આવક પર 15 ટકા કર લાગશે. જ્યારે 16થી 20 લાખ રૂપિયા વચ્ચેની આવક પર 20 ટકા, 20-24 લાખ રૂપિયાની આવક પર 25 ટકા અને 24 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ લાગશે. 

અપડેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરનારા કરદાતાઓ માટે સમયમર્યાદાને પણ વધારીને ચાર વર્ષની કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. અપડેટેડ આઈટીઆરને એવા ટેક્સપેયર્સ ભરે છે જે નિર્ધારિત સમય પર પોતાની યોગ્ય આવકની જાણકારી આપી શક્યા નહતા. હાલ આવા રિટર્ન સંબંધિત કર આકલન વરષના બે વર્ષની અંદર ભરી શકાય છે. લગભગ 90 લાખ ટેક્સપેયર્સે વધારાના ટેક્સની ચૂકવણી કરીને સ્વેચ્છાથી પોતાની આવકનું વિવરણ અપડેટેડ કર્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More