Ganga River Will Disappear : પ્રયાગરાજમાં ગંગા-યમુનાના સંગમ પર મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અત્યારસુધીમાં 50 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં મહાસ્નાન કર્યું છે. પરંતુ આ દરમિયાન એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું 2050 સુધીમાં ગંગા સુકાઈ જશે? આ સવાલ એટલા માટે પૂછવામાં આવી રહ્યા છે. કારણ કે સંયુક્ત રાષ્ટ્રનો તાજેતરનો અહેવાલ આ તરફ ઈશારો કરી રહ્યો છે. તો બીજીબાજુ બીજા પુરાણમાં ગંગાના પાછા ફરવા વિશે પણ લખાયેલું છે.
યુએન રિપોર્ટમાં શું ખુલાસો થયો તેના પર નજર કરીએ તો...
દુનિયામાં ગ્લોબલ વોર્મિંગની અસર ધ્રુવીય વિસ્તારો અને બરફ ધરાવતા વિસ્તારોમાં સૌથી વધુ થઈ રહી છે... ગંગા નદી પણ ગ્લેશિયરના પાણીમાંથી જ બનેલી છે... ગંગા ક્યાં સુધી અસ્તિત્વમાં રહેશે તેનો જવાબ ગ્લેશિયરના પીગળવાના પ્રમાણ પર નિર્ભર છે... કેમ કે
વાડિયા ઈન્સ્ટીટ્યૂટના ગંગોત્રી અને પાડોશી ગ્લેશિયર અંગેના સંશોધન પત્ર પ્રમાણે, હિમાલયના ઉંચા શિખરો પર બરફ નથી, જ્યાં પહેલાં બરફ રહેતો હતો. 1991થી 2021 સુધીમાં શિખર પરનો બરફ ઘટી ગયો છે. 10,768 કિમીનો વિસ્તાર ઘટીને 3258 કિમી થઈ ગયો છે. પાતળી બરફની ચાદર વધીને 6863 ચોરસ કિમી થઈ ગઈ છે. હિમાલય ક્ષેત્રમાં વધતું તાપમાન, ઓછી હિમવર્ષાથી ગ્લેશિયર પીગળી રહ્યા છે. અહેવાલમાં ગંગોત્રી ગ્લેશિયર સૌથી વધુ જોખમમાં હોવાનું સામે આવ્યું.
વૈજ્ઞાનિક કારણો સિવાય દેવી ભાગવત પુરાણમાં પણ ગંગાના સુકાઈ જવા વિશે કહેવામાં આવ્યું છે કે...
કારણ કંઈપણ હોય. પરંતુ જો ગ્લોબલ વોર્મિંગના કારણે બધા ગ્લેશિયર પીગળી જશે તો મોટી મુશ્કેલી માનવજાત પર જ આવવાની છે. એટલે જાગી જવાની જરૂર છે. નહીં તો પસ્તાવાનો પાર નહીં રહે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે