નવી દિલ્હીઃ રાજકારણમાં ચૂંટણી સમયે પાર્ટી છોડવાનો સિલસિલો સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં ભારે હોબાળો વચ્ચે ગોવાના પૂર્વ સીએમ લક્ષ્મીકાંત પારસેકરે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે.
પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
પૂર્વ સીએમએ કહ્યું, 'હું વર્ષો સુધી ભાજપનો સભ્ય હતો પરંતુ પાર્ટીએ મને હળવાશથી લીધો. મેં પાર્ટીથી દૂર રહેવાની તૈયારી કરી છે અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. હું 1-2 દિવસમાં આ જાહેરાત સાથે સામે આવીશ.'
મનોહર પર્રિકર બાદ બનાવવામાં આવ્યા હતા સીએમ
પારસેકર 2014 થી 2017 સુધી ગોવાના મુખ્યમંત્રી હતા. તત્કાલિન મુખ્યમંત્રી મનોહર પર્રિકરને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કર્યા બાદ તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા.
UP Elections 2022:ઓવૈસીએ આ 2 પાર્ટીઓ સાથે કર્યું ગઠબંધન, કહ્યું- જીતશે તો બનશે 2 CM
મનોહર પર્રિકરના પુત્રએ પણ આપ્યું રાજીનામું
ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. થોડા દિવસો અગાઉ તેમણે પણજીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે ભાજપ ઘણા દિવસોથી ઉત્પલને મનાવવાની કોશિશ કરી રહી હતી પરંતુ તેઓ પાર્ટીની ટિકિટ વહેંચણીથી નારાજ હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે