Operation Sindoor New Video: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે 6 અને 7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ અભિયાન દ્વારા ભારતે પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (PoK) માં 9 આતંકી કેમ્પને ધ્વસ્ત કર્યા હતા. ઓપરેશન સિંદૂરના ત્રણ મહિના બાદ ભારતીય વાયુસેનાએ 5 મિનિટ 50 સેકેન્ડનો એક વીડિયો જારી કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ભારતે કઈ રીતે આતંકીઓની કમર તોડવાની સાથે પાકિસ્તાનના મનોબળને પણ તોડ્યું હતું.
ભારતે 9 આતંકી કેમ્પ તબાહ કર્યાં
ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરમાં આતંકીઓના કેમ્પ પર એર સ્ટ્રાઇક કરી હતી, જેમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનું હેડક્વાર્ટર અને જૈશ-એ-મોહમ્મદના મુખિયા મસૂદ અઝહરનો કેમ્પ તબાહ થઈ ગયો હતો. આ ઓપરેશનમાં 100થી વધુ આતંકીઓના મોત થયા હતા. ભારતે મરકઝ સુભાન અલ્લાહ બહાવલપુર, મરકઝ તૈયબા મુરીદકે, સરજલ તેહરા કલાન, મેહમૂના ઝોયા સિયાલકોટ, મરકઝ અહલે હદીસ બરનાલા, મરકઝ અબ્બાસ કોટલી, મસ્કર રાહીલ શાહિદ કોટલી, શવાઈ નાલા કેમ્પ મુઝફ્ફરાબાદ અને સૈયદના બિલાલ કેમ્પ મુઝફ્ફરાબાદ પર હુમલો કર્યો હતો.
Indian Air Force -Touch the Sky with Glory#IndianAirForce#YearOfDefenceReforms@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India@adgpi@IndiannavyMedia@indiannavy@CareerinIAF pic.twitter.com/FhFa3h8yje
— Indian Air Force (@IAF_MCC) August 10, 2025
આતંકવાદી ઠેકાણાઓનો નાશ, 5 પાકિસ્તાની ફાઇટર વિમાનોને તોડી પાડવામાં આવ્યા
'ઓપરેશન સિંદૂર'ની સફળતાનો ઉલ્લેખ કરતા, તાજેતરમાં વાયુસેનાના વડા એર ચીફ માર્શલ સિંહે બે પ્રકારના ચિત્રો બતાવ્યા, જે પાકિસ્તાનમાં થયેલા નુકસાન પહેલા અને પછીના હતા. આ ચિત્રો સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ સંપૂર્ણ ચોકસાઈ સાથે આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ સાથે, ભારતીય વાયુસેનાના વડાએ પ્રથમ વખત સત્તાવાર રીતે પુષ્ટિ કરી કે 5 પાકિસ્તાની ફાઇટર જેટ અને એક મોટું વિમાન (ગુપ્ત માહિતી એકત્રિત કરતું વિમાન) તોડી પાડવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ઘણા એરબેઝનો પણ નાશ કર્યો હતો.
આ પણ વાંચોઃ અનેક સાંસદોને લઈને જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ચેન્નાઈ ડાઈવર્ટ કરાયું, 2 કલાક...
જલ્દી થઈ શકે છે આગામી યુદ્ધ, તે પ્રમાણે તૈયારી કરવી પડશેઃ આર્મી ચીફ
આ વચ્ચે ભારતીય થલ સેનાના અધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાન સામે ફરી યુદ્ધ થવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આગામી યુદ્ધ જલ્દી થઈ શકે છે અને આપણે તે પ્રમાણે તૈયારી કરવી પડશે. તેમણે કહ્યું કે આ વખતે આપણે મળીને આ લડાઈ લડવી પડશે. આ સાથે તેમણે ખુલાસો કર્યો કે ઓપરેશન સિંદૂર દરમિયાન સરકારે અમને છૂટ આપી હતી. ઓપરેશનમાં અમે ચેસની ચાલ ચાલી રહ્યાં હતા. અમને ખ્યાલ નહોતો કે દુશ્મનની આગામી ચાલ શું હશે અને અમે શું કરવાના છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે