Home> India
Advertisement
Prev
Next

ભારત સરકારનો સૌથી મોટો નીતિગત નિર્ણય, હવે વધશે પાકિસ્તાનની મુશ્કેલી!

ભારતે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી કાર્યવાહીને ભારત વિરુદ્ધ યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે. તે અનુસાર આતંક ફેલાવનારને જવાબ આપવામાં આવશે.
 

ભારત સરકારનો સૌથી મોટો નીતિગત નિર્ણય, હવે વધશે પાકિસ્તાનની મુશ્કેલી!

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે નક્કી કર્યું છે કે ભવિષ્યમાં જ્યારે કોઈ આતંકવાદી ઘટના થાય તો તેને એક્સ ઓફ વોર એટલે કે યુદ્ધ માનવામાં આવશે. તેવામાં આવનાર સમયમાં ભારત પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ વિરુદ્ધ કડક રીતે જવાબ આપશે.

fallbacks

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 લોકોના મોત બાદ સરકારે નીતિમાં આ મોટો ફેરફાર કર્યો છે. આ ઘટનાના જવાબમાં ભારતની સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધીકૃત કાશ્મીરના નવ કેમ્પો પર સ્ટ્રાઇક કરી હતી. જેમાં ઘણા આતંકીઓના મોત થયા હતા. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયું છે. તે વારંવાર ભારતીય સૈન્ય ઠેકાણા અને અન્ય જગ્યા પર મિસાઇલોથી હુમલાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ભારતની મજબૂત રક્ષા સિસ્ટમ આ હુમલાને નિષ્ફળ બનાવી રહી છે.

સંરક્ષણ નિષ્ણાતો પણ ભારત સરકારના આ નીતિગત પરિવર્તનની પ્રશંસા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ નિર્ણય ભારતની તાકાત અને ઇચ્છાશક્તિ દર્શાવે છે. હવે કોઈપણ દેશ કે આતંકવાદી સંગઠન ભારત પર હુમલો કરતા પહેલા સો વાર વિચારશે. આપણી સેના પાસે 16 લાખ સૈનિકો, આધુનિક શસ્ત્રો અને સેટેલાઇટ સર્વેલન્સ જેવા સંસાધનો છે, જે આપણને કોઈપણ ખતરાનો સામનો કરવા સક્ષમ બનાવે છે.

PM મોદીના નિવાસ્થાને યોજાઈ મોટી બેઠક
પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી  રાજનાથ સિંહ, NSA અજિત ડોભાલ, CDS જનરલ અનિલ ચૌહાણ, સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ભારતે પાકિસ્તાનના ઘણા લશ્કરી ઠેકાણા ઉડાવી દીધા
હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવાઈ હુમલા અને ગોળીબાર પહેલા કરતા વધુ વધી ગયા છે. ભારતે પાકિસ્તાનના ઘણા લશ્કરી ઠેકાણા ઉડાવી દીધા છે. ભારતે પાકિસ્તાનના હુમલાઓને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધા છે.

ભારતે પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવ્યા
પાકિસ્તાન ભારતના ઘણા શહેરોમાં ડ્રોન મોકલી રહ્યું છે. ભારત આ ડ્રોનને હવામાં જ તોડી પાડી રહ્યું છે. આ સાથે, ભારતે ઘણી પાકિસ્તાની મિસાઇલો તોડી પાડી છે.

આતંક વિરુદ્ધ ભારતનું ઓપરેશન સિંદૂર
ભારતે પાકિસ્તાનના આતંકની ફેક્ટરી ખતમ કરવા માટે 7 મે 2025ના ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી હતી. પાકિસ્તાન વિરુદ્ધ ભારતની આ કાર્યવાહી હજુ ચાલી રહી છે. ભારતે આ ઓપરેશનમાં પાકિસ્તાનના આતંકી કેમ્પ પર હુમલો કર્યો હતો. તેમાં જૈશ-એ-મોહમ્મદ  (JeM), લશ્કર-એ-તૈયબા (LeT), અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનના લોકોને નિશા બનાવવામાં આવ્યા હતા. તેના ટેરર કેમ્પ ધ્વસ્ત કર્યાં હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More