Indo-Pak War Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે, ત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇ દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા કંડલા પોર્ટને બપોરના ત્રણ વાગ્યેથી કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા હુમલા અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા પ્રશાસન દ્વારા પણ વિવિધ પગલાં ભરવામાં આવ્યા છે, ત્યારે દિનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા કંડલા પોર્ટમાં કામગીરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
કચ્છ-ભુજ બાદ હવે આ જિલ્લામાં અપાયું રેડ એલર્ટ; ઘરની બહાર ન નીકળવા લોકોને કરાઈ અપીલ
પાકિસ્તાન દ્વારા ભારત પર કરવામાં આવેલા હુમલાનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે અને હાલમાં દેશ સહિત રાજ્યમાં પણ બોર્ડર પરના તમામ જિલ્લાઓમાં એલર્ટ અપાયું છે અને ઘણા વિસ્તારમાં બ્લેકઆઉટ રાખવા પણ આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે કંડલા પોર્ટ પર પણ ઓપરેશન સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યું છે.
સતત ડ્રોન મોકલવા પાછળ આ હતી પાકિસ્તાનની 'રણનીતિ', ભારતીય સેનાએ આપી ધોબીપછાડ
કચ્છમાં એલર્ટ લઈને આ નિર્ણય લેવામાં આવ્યો
બપોરે 3 વાગ્યાથી તાત્કાલિક અસરથી કંડલા પોર્ટ પર તમામ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. કચ્છમાં એલર્ટ લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય આદેશ ન થાય ત્યાં સુધી ઓપરેશન હવે બંધ થશે. પોર્ટ પર કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવશે નહીં. બીજી તરફ જામનગર જિલ્લામાં પણ ચેતવણીનું સાયરન વાગ્યુ છે અને નાગરિકોને જાહેર સ્થળોએ ફરવા ન જવા માટે સલાહ આપવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર પણ તૈયાર છે, સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવાની સલાહ લોકોને અપાઈ છે.
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો! પોલીસ કાફલો ખડકાયો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે