Home> India
Advertisement
Prev
Next

સોનમે 5 વર્ષ નાના પ્રેમી માટે થઈને રાજાની હત્યા કરાવી? જાણો કોણ છે આ રાજ કુશવાહા..વિગતો અત્યંત આઘાતજનક

ઈન્દોરનું નવપરિણીત કપલ શિલોંગમાં ગૂમ થઈ જતા દેશભરમાં ચકચાર મચી ગઈ હતી. 2 જૂનના રોજ પતિની લાશ મળી અને હવે 9 જૂને પત્ની મળી આવી પરંતુ સોનમ મળતાની સાથે જ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. એવા ખુલાસા જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય....

સોનમે 5 વર્ષ નાના પ્રેમી માટે થઈને રાજાની હત્યા કરાવી? જાણો કોણ છે આ રાજ કુશવાહા..વિગતો અત્યંત આઘાતજનક

મેઘાલયમાં ઈન્દોરના નવપરિણીત કપલ રાજા રઘુવંશીની હત્યાના મામલે એવો ચોંકાવનારો ખુલાસો થયો છેકે હડકંપ મચી ગયો છે. એ વાત સામે આવી છે કે સોનમ રઘુવંશીએ તેના પ્રેમી રાજ કુશવાહા સાથે મળીને સોપારી આપી રાજાની હત્યા કરાવી હતી. સોનમનું રાજ કુશવાહા સાથે લગ્ન પહેલા પ્રેમ સંબંધ હતો અને તે આ હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાઈ રહ્યું છે. 

fallbacks

આ મામલે તપાસમાં સામે આવ્યું છે કે સોનમના પિતાની ઈન્દોરમાં એક નાની પ્લાયવુડની ફેક્ટરી છે. જ્યાં રાજ કુશવાહા કામ કરતો હતો. સોનમ અવારનવાર આ ફેક્ટરીમાં જતી હતી અને અહીં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. મીડિયા રિપોર્ટ મુજબ રાજ કુશવાહા સોનમ કરતા ઉંમરમાં 5 વર્ષ નાનો છે. આ પ્રેમ પ્રસંગના કારણે સોનમે રાજ સાથે મળીને રાજાની હત્યા કરી હોવાનું કહેવાય છે. 

અત્રે જણાવવાનું કે ઈન્દોરના ટ્રાન્સપોર્ટ વેપારી રાજા રઘુવંશી અને સોનમના 11 મેના રોજ લગ્ન થયા હતા. લગ્નના 9 દિવસ બાદ 20 મેના રોજ આ કપલ હનીમૂન માટે મેઘાલય ગયું હતું. 22 મેના રોજ ભાડે સ્કૂટર લઈને માવલખિયાટ ગામ પહોંચ્યા અને 3000થી વધુ સીડીઓ ઉતરીને નોંગ્રિયાટ ગામમાં લિવિંગ રૂટ્સ પુલ જોવા ગયા હતા. 

કપલે નોંગ્રિયાટના શિપારા હોમસ્ટેમાં રાત વિતાવી અને 23 મેના રોજ સવારે ચેકઆઉટ કર્યું હતું. ત્યારબાદ બંને ગુમ થઈ ગયા હતા. 24મી મેના રોજ તેમનું સ્કૂટર શિલોંગ-સોહરા માર્ગ પર સોહરારિમમાં એક કેફે બહાર લાવારિસ હાલતમાં મળ્યું હતું. 2 જૂનના રોજ વેઈસાવડોંગ ઝરણા પાસે એક ઊંડી ખાઈમાં રાજાનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળ્યો હતો. જ્યારે સોનમ આજે 9 જૂને સહિસલામત મળી આવી. 

શિલોંગ પોલીસ સોનમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેવા માટે ગાઝીપુર પહોંચી રહી છે. પોલીસ હવે આ હત્યાકાંડનું ષડયંત્ર અને અન્ય શંકાસ્પદોની  ભૂમિકાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ મામલે ચોથા આરોપી આનંદની પણ ધરપકડ કરાઈ છે. જ્યારે સોનમને ગાઝીપુરથી પકડી છે. અન્ય 3 આરોપીઓ ઈન્દોરથી પકડાઈ ચૂક્યા છે. 

આ મામલે રાજા રઘુવંશીના ભાઈએ પણ નિવેદન આપ્યું છે. રાજાના ભાઈ વિપુલ રઘુવંશીએ કહ્યું કે પહેલા જ્યારે નામ સામે ન હતા આવ્યા ત્યાં સુધી કોઈ આઈડિયા નહતો પરંતુ રાજ કુશવાહાનું જે નામ આવી રહ્યું છે તેનો અર્થ એ થયો કે સોનમ પણ આમા સામેલ હોઈ શકે છે.  કારણ કે રાજ કુશવાહા સોનમનો કર્મચારી હતો. 

વિપુલે ઘટનાક્રમ પર અવિશ્વાસ જતાવતા કહ્યું કે જ્યારે તેમના લગ્ન નક્કી થયા ત્યારે તેઓ બંને ખુશ હતા. અમે ક્યારેય વિચાર્યું નહતું કે સોનમ આવું કઈ કરશે. તેમણે કહ્યું કે જો કે તેો ક્યારેય કુશવાહને મળ્યા નથી પરંતુ તેમણે સોનમ મામલે તેનું નામ સાંભળ્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More