Home> India
Advertisement
Prev
Next

Sonam Raghuvanshi: આખી રાત કશું ખાધુ નહીં, કોઈ વાત નહીં...બસ એક જ વાત રટતી રહી સોનમ, પોલીસ પણ ચોંકી ગઈ

ઈન્દોરના ટ્રાન્સપોર્ટ વેપારી રાજા રઘુવંશીની હત્યામાં તેની જ પત્ની સોનમ રઘુવંશીની સંડોવણીની વાત સામે આવતા જ હડકંપ મચી ગયો છે. સોનમ પર જ પતિની હત્યાનો આરોપ લાગ્યો છે. હાલ સોનમને મેઘાલય પોલીસ શિલોંગ લઈ જઈ રહી છે. 

Sonam Raghuvanshi: આખી રાત કશું ખાધુ નહીં, કોઈ વાત નહીં...બસ એક જ વાત રટતી રહી સોનમ, પોલીસ પણ ચોંકી ગઈ

મેઘાલયના શિલોંગમાં થયેલા રાજા રઘુવંશી હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. મેઘાલય પોલીસનું કહેવું છે કે હનીમૂન દરમિયાન રાજા રઘુવંશીની હત્યામાં તેની પત્ની સોનમ રઘુવંશી કથિત રીતે સામેલ હતી જેણે ત્યાં ભાડાના હત્યારા બોલાવ્યા હતા. મેઘાલય પોલીસે હત્યાકાંડના ચાર સંદિગ્ધોને મધ્ય પ્રદેશ અને યુપીથી પકડ્યા હતા. સોનમને હાલ મેઘાલય પોલીસ શિલોંગ લઈ જઈ રહી છે. સોનમને યુપીથી બિહાર અને ત્યારબાદ કોલકાતા થઈને ગુવાહાટી-શિલોંગ લઈ જવાઈ રહી છે. 

fallbacks

સોમવારે યુપીના ગાઝીપુરમાં સોનમ રઘુવંશીએ પણ સરન્ડર કર્યું હતું. જો કે સોનમનો પરિવાર અને સોનમ પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. સરન્ડર બાદ સોનમ પોલીસ કસ્ટડીમાં ગૂમસૂમ હોવાની સ્થિતિમાં હોસ્પિટલમાં હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમે પૂછપરછ દરમિયાન કોઈ વાતચીત કરી નહીં. ખાધુ પણ નહીં અને ફક્ત એટલું જ કહેતી રહી  કે તેને માથાનો દુ:ખાવો છે. 

સોનમની ચૂપ્પી બની પહેલી
મુખ્ય આરોપી બનેલી સોનમ રઘુવંશીની ધરપકડ બાદથી જ તે જે રીતે ચૂપ્પી સાધીની બેઠી છે તે પોલીસ માટે એક પહેલી બનેલી છે. શિલોંગ પોલીસના જણાવ્યાં મુજબ જ્યારે સોનમને કસ્ટડીમાં શિલોંગ લઈ જવાઈ રહી છે ત્યારે તે દરમિયાન મુસાફરીમાં તેણે આખા રસ્તે કોઈ વાતચીત કરી નથી કે કશું ખાધુ નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ દર વખતે તેને પૂછવામાં આવે ત્યારે તે એક જ વાત રટતી રહી કે મારા માથામાં ખુબ દુ:ખાવો છે. 

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે સોનમને ખાવા માટે કહેવાયું તો તેણે ના પાડી દીધી. વારંવાર સમજાવવા છતાં તેણે ભોજન કર્યું નહીં. એટલું જ નહીં પોલીસ દ્વારા રસ્તામાં અનેકવાર ગાડી રોકીને તેને આરામની તક અપાઈ પરંતુ સોનમે કોઈની પણ સાથે વાતચીત કરી નહીં કે કશું ખાધુ નહીં. તે ફક્ત માથાના દુખાવાની ફરિયાદ કરતી રહી. પોલીસના જણાવ્યાં મુજબ ટ્રાન્ઝિટ દરમિયાન સોનમ એકદમ શાંત અને ગૂમસૂમ હતી. 

શિલોંગ પોલીસની તપાસમાં એ વાત સામે આવી છે કે આ જઘન્ય હત્યાકાંડની આખી સ્ક્રિપ્ટ સોનમના પ્રેમી રાજ કુશવાહાએ તૈયાર કરી હતી. પોલીસનું કહેવું છે કે આ હત્યા કોઈ ક્ષણિક આવેશમાં આવીને કરાઈ નથી પરંતુ ઘણા સમય પહેલા સમજી વિચારીને તૈયાર કરાયેલી યોજના હેઠળ અંજામ અપાઈ છે. 

જાણકારી મુજબ સોનમે રાજના નિર્દેશ પર પતિ રાજા રઘુવંશીની હત્યા માટે ચાર ભાડાના હત્યારા શિલોંગ બોલાવ્યા હતા. આ ચારેય શૂટરોને પોલીસે પકડી લીધા છે. પૂછફરછમાં ચોંકાવનારા તથ્યો પણ સામે આવ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More