Home> India
Advertisement
Prev
Next

International Yoga Day 2025: તણાવમાંથી પસાર થઈ રહેલી દુનિયા માટે યોગ એક પોઝ બટન...- PM મોદી

International Yoga Day 2025: આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. દેશ દુનિયામાં આજે યોગ દિવસની ઉજવણી  થઈ રહી છે. પીએમ મોદીએ આજે  આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી આ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. તેમની સાથે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પણ હાજર રહ્યા. આ વર્ષની થીમ 'યોગા ફોર વન અર્થ, વન હેલ્થ છે.' જેનો હેતુ પૃથ્વી અને માનવ સ્વાસ્થ્યના પરસ્પર સંબંધ મજબૂત બનાવવાનો છે. એટલે કે જો ધરતી સ્વસ્થ હશે તો આપણે પણ સ્વસ્થ રહી શકીશું. 

International Yoga Day 2025: તણાવમાંથી પસાર થઈ રહેલી દુનિયા માટે યોગ એક પોઝ બટન...- PM મોદી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે પીએમ મોદી આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં છે. તેઓ અહીં યોગ દિવસે આયોજિત કરાયેલા એક કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા છે. પીએમ મોદીએ કાર્યક્રમમાં છેલ્લા એક દાયકામાં યોગની વૈશ્વિક યાત્રાનો ઉલ્લેખ કર્યો. તેમણે એ ઐતિહાસિક પળને યાદ  કરી જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માનયતા આપવા અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બહુ ઓછા સમયમાં 175 દેશો ભારતની પડખે રહ્યા હતા. 

fallbacks

પીએમ મોદીએ કહ્યું કે આજની દુનિયામાં આવું સમર્થન એક સામાન્ય ઘટના નથી. આફક્ત એક પ્રસ્તાવનું સમર્થન હતું એવું નથી. આ માનવતાના ભલા માટે દુનિયાનો સામૂહિક પ્રયત્ન હતો. પીએમ મોદીએ કહ્યું કે, દુર્ભાગ્યવશ આજે સમગ્ર દુનિયા કોઈને કોઈ તણાવમાંથી પસાર થઈ રહી છે. અનેક ક્ષેત્રોમાં અશાંતિ અને અસ્થિરતા વધી રહી છે. આવામાં યોગથી આપણને શાંતિની દિશા મળે છે. યોગ એક એવું પોઝ બટન છે જેની માનવતાને સંતુલનના શ્વાસ લેવા અને ફરીથી નિયંતણ મેળવવા જરૂર છે. ચાલો આ યોગ દિવસને માનવતા માટે યોગની શરૂઆત તરીકે ઉજવીએ જેથી તેઓ ઓમ શોધી શકે, જ્યાં આંતરિક શાંતિ સર્વાંગી શાંતિનો માર્ગ બની જાય છે. 

તેમણે વધુમાં કહ્યું કે આજે 11 વર્ષ બાદ આપણે જોઈ રહ્યા છીએ કે યોગ દુનિયાભરમાં કરોડો લોકોની જીવનશૈલીનોનો હિસ્સો બની ચૂક્યું છે. જ્યારે હું જોઉ છું કે આપણા દિવ્યાંગ સાથી યોગ શાસ્ત્ર ભણે છે, ત્યારે મને ગર્વ થાય છે. વૈજ્ઞાનિક અંતરિક્ષમાં યોગ કરે છે. 

પીએમ મોદીએ કહ્યું કે દુનિયામાં યોગના પ્રસાર માટે ભારત યોગના સાયન્સને આધુનિક રિસર્ચથી વધુ સશક્ત કરી રહ્યું છે. દેશના મોટા મોટા મેડિકલ સંસ્થાન યોગ પર રિસર્ચ કરવામાં લાગ્યા છે. યોગની વૈજ્ઞાનિકતાને આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં સ્થાન મળે તે આપણો પ્રયત્ન છે. ચાલો..આપણે બધા મળીને યોગને એક જનઆંદોલન બનાવીએ, એક એવું આંદોલન જે વિશ્વને શાંતિ, સ્વાસ્થ્ય અને સમરસતા તરફ લઈ જાય. જ્યાં દરેક વ્યક્તિ દિવસની શરૂઆત યોગથી કરે અને જીવનમાં સંતુલન મેળવે. જ્યાં દરેક સમાજ યોગ સાથે જોડાય અને તણાવ મુક્ત થાય. જ્યાં યોગ માનવતાને એક સૂત્રમાં પરોવવાનું માધ્યમ બને જ્યાં 'Yoga For One Earth, One Health' એક વૈશ્વિક સંકલ્પ બને. 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હું આ અવસરે વૈશ્વિક સમુદાયને અપીલ કરું છું કે આ અવસરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને માનવતા માટે યોગની શરૂઆત કરીકે ઉજવવામાં આવે. આ એ દિવસ બને જ્યારે આંતરિક શાંતિ એક વૈશ્વિક નીતિ બને, જ્યાં યોગ માત્ર એક વ્યક્તિગત અભ્યાસ તરીકે જ નહીં પરંતુ વૈશ્વિક ભાગીદારી અને એક્તા માટે એક શક્તિશાળી ઉપકરણ તરીકે અપનાવવામાં આવે. તેમણે કહ્યું કે દરેક દેશ અને દરેક સમાજે યોગને એક સામૂહિક  જવાબદારી બનાવવી જોઈએ અને સામૂહિક કલ્યાણની દિશામાં એક યોગદાન બનાવવું જોઈએ. 

પીએમ મોદીએ કહ્યું કે યોગ આપણને શીખવાડે છે કે આપણે અલગ થલગ વ્યક્તિ નહીં પરંતુ કુદરતનું એક અભિન્ન અંગ છીએ. શરૂઆતમાં તે આપણને આપણા સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનો ખ્યાલ રાખવામાં મદદ કરે છે પરંતુ ધીરે ધીરે આ જાગૃતતા જેમ વધે તેમ આપણે ફક્ત આપણા માટે નહીં પરંતુ પર્યાવરણ, આપણા સમાજ, અને આપણા ગ્રહ માટે પણ દેખભાળ કરવાનું શરૂ કરીએ છીએ. યોગ એક એવી સિસ્ટમ છે જે આપણને હું માંથી આપણે તરફ લઈ જાય છે. 

તેમણે કહ્યું કે જ્યારે વ્યક્તિ પોતાના હિતથી ઉપર ઉઠીને સમાજ માટે વિચારે છે ત્યારે સમગ્ર માનવતાનું ભલું થાય છે. ભારતની સંસ્કૃતિ આપણને શિખવાડે છે કે सर्वे भवंतु सुखिनः એટલે કે બધાનું કલ્યાણ જ મારું કર્તવ્ય છે. હુંમાંથી આપણેનો પ્રવાસ જ સેવા, સમર્પણ અને સહઅસ્તિત્વનો આધાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More