Home> India
Advertisement
Prev
Next

ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે અચાનક કેમ પાક્કા મિત્ર ભારતની માફી માંગવી પડી? જાણો કારણ

ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે પોતાના મિત્ર એવા ભારતની માફી માંગવી પડી છે. એકબાજુ ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધે  ચડ્યા છે ત્યાં અચાનક એવું તે શું થયું કે ઈઝરાયેલે માફી માંગવાનો વારો આવ્યો? ખાસ જાણો. 

ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે અચાનક કેમ પાક્કા મિત્ર ભારતની માફી માંગવી પડી? જાણો કારણ

ઈરાન સાથે ચાલી રહેલા ભીષણ તણાવ વચ્ચે ઈઝરાયેલી રક્ષા દળો (IDF) દ્વારા શુક્રવારે એક ગંભીર ભૂલ થઈ ગઈ. વાત જાણે એમ છે કે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈરાનના જોખમને જોતા એક મેપ શેર કર્યો. ઈઝરાયેલી સેનાના અધિકૃત હેન્ડલથી કરાયેલી આ પોસ્ટમાં ભારતના જમ્મુ કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો ગણાવવામાં આવ્યો જ્યારે અરુણાચલ પ્રદેશને ચીનનો હિસ્સો દેખાડવામાં આવ્યો. આ પોસ્ટ સામે આવતા જ સોશિયલ મીડિયા પર  હંગામો મચી ગયો. ઈઝરાયેલની આ ભૂલે ભારતીય યૂઝર્સને નારાજ કરી દીધા. 

fallbacks

ભારતીય યૂઝર્સે ઈઝરાયેલને ઘેર્યું
ભારતનો ખોટો મેપ દર્શાવવા બદલ ભારતીય યૂઝર્સે IDFને આડેહાથ લીધી. કેટલીક ભારતીયોએ ઈઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહૂને ટેગ કરતા માંગણી કરી કે આ પોસ્ટ હટાવવામાં આવે અને યોગ્ય મેપ સાથે ફરીથી પોસ્ટ કરવામાં આવે. એક યૂઝરે પોસ્ટ પર રિપ્લાય કરતાકહ્યું કે સટીકતાને ભૂલી જાઓ. આ સચ્ચાઈથી ઘણું દૂર છે. આ ખેદજનક નોટ પોસ્ટ કરવાની જગ્યાએ બદલવામાં કેમ નથી આવતી? તમારે ભારતની ભાવનાઓ અને આપણા સંબંધોને સમજવાની જરૂર છે. પ્લીઝ તેને જલદી બદલો. 

આઈડીએફએ માંગી માફી
એક્સ પર વધતી ટીકાઓ વચ્ચે ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રૂવેન અઝાર સામે આવ્યા અને એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે આ એક અજાણતા થયેલી ભૂલ છે અને તેને ઠીક કરવાનું કહેવામાં આવ્યું છે. ભારે વિરોધ  બાદ આખરે આઈડીએફએ જાહેરમાં માફી માંગી. પોસ્ટ પર રિપ્લાય કરતા આઈડીએફએ લખ્યું કે આ પોસ્ટ ક્ષેત્રનું એક ચિત્રણ છે. આ મેચ સરહદોને સટીક રીતે દર્શાવવામાં નિષ્ફળ રહી છે. અમે કોઈ પણ અપમાન બદલ માફી માંગીએ છીએ. 

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ
આ અગાઉ શુક્રવારથી ઈઝરાયેલે શરૂ કરેલા રાઈઝિંગ લાયન ઓપરેશન હેઠળ ઈરાનમાં કરાયેલા ઘાતક હવાઈ હુમલાઓથી મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો. ઈઝરાયેલી અધિકારીઓએ તેને ઈરાન વિરુદ્ધ દેશનું સૌથી મોટું સૈન્ય અભિયાન ગણાવ્યું. ઈઝરાયેલી ફાઈટર વિમાનો અને ડ્રોનોએ યોજનાબદ્ધ રીતે હુમલો કર્યો જેમાંથી કેટલાક તો તસ્કરી કરીને ઈરાન પહોંચાડેલા હતા. આ હુમલામાં ઈરાનના સૈન્ય ઠેકાણાઓ અને પરમાણુ પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવામાં આવ્યા. ઓપરેશનમાં અનેક વરિષ્ઠ ઈરાની સૈન્ય કમાન્ડર અને ટોચના પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા. ઈરાને પણ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More