Home> India
Advertisement
Prev
Next

જમ્મુ બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ હુમલામાં હિજ્બુલ મુજાહિદ્દીનનો હાથ, આરોપીનો ખુલાસો

જમ્મુ શહેરની વચ્ચે આવેલ એક બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગ્રેનેડથી વિસ્ફોટ કરનારા આરોપીને પોલીસે ધરપકડ કરી લીધી છે.

જમ્મુ બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ હુમલામાં હિજ્બુલ મુજાહિદ્દીનનો હાથ, આરોપીનો ખુલાસો

જમ્મુ: જમ્મુ શહેરની વચ્ચે આવેલ એક બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગ્રેનેડથી વિસ્ફોટ કરનારા આરોપીને પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે ગ્રેનેડ ફેંકીને ભાગનારા આરોપીની ધરપકડ કરી લીધી છે. ગ્રેનેડ ફેંકનારા યુવાનોનું નામ યાસિર ભટ્ટ છે. બીજી તરફ કુલગામનાં રહેવાસી છે. આ હુમલામાં એક કિશોરીની મોત થઇ જ્યારે 32 લોકો ઘાયલ થઇ ગયા. આઇજીપી જમ્મુ મનીષ કે. સિન્હાએ પોતાનાં નિવેદનમાં કહ્યું કે, યાસીર ભટ્ટે જમ્મુ બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ ફેંક્યો. તેને હિજબુલ કમાન્ડર ફારુક અહેમદ ભટ્ટ ઉર્ફે ઉમરે આ કામ સોંપ્યું. આરોપીએ પોતાનો ગુનો કબુલી લીધો છે. આરોપી ગ્રેનેડ ફેંકવાથી સવારે જ જમ્મુ આવ્યો હતો. 

fallbacks

ગત્ત વર્ષે મેથી લઇને અત્યાર સુધીબસ સ્ટેન્ડ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા હાથગોળા દ્વારા કરવામાં આવેલો આ ત્રીજો હુમલો છે. સુરક્ષા એજન્સીઓ તેને શહેરમાં શાંતિ અને સૌહાર્દ બગાડવાનાં પ્રયાસો તરીકે જોવાઇ રહ્યું છે. અધિકારીઓએ કહ્યું કે, ઉતરાખંડનાં હરિદ્વારનાં નિવાસી 17 વર્ષનાં મોહમ્મદ શરીકની હોસ્પિટલમાં મોત થઇ ગયું. તેની છાતી પર ઇજા લાગી હતી. તેઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 33 લોગોનો સમાવેશ થાય છે. 

તેમણે કહ્યું કે, ચાર અન્ય ઘાયલોની હાલત ગંભીર છે અને તેમાંથી બેને ડોક્ટરે  ઓપરેશન કર્યું છે. અધિકારીઓએ કહ્યું કે, ઘાયલોમાં કાશ્મીરનાં 11, બિહારનાં બે અને છત્તીસગઢ અને હરિયાણાના એક -એક વ્યક્તિનો સમાવેશ થાય છે. 

પોલીસનાં એક અધિકારીએ જણાવ્યું કે, વિસ્ફોટમાં બસ સ્ટેન્ડ પર ઉભેલી સરકારી બસને ઘણુ નુકસાન થયું હતું અને આ વિસ્ફોટથી લોકોમાં અફડ-તફડી મચી ગઇ હતી. આઇજીએ કહ્યું કે, જ્યારે હું ચોક્સી વધારે હોય છે, અમે તપાસ સખત કરી લઇએ છીએ પરંતુ કોઇ- કોઇને તેને બચી નિકળવાની આશંકા રહે છે. આ એવો જ એક કિસ્સો લાગી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More