નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના હંદવાડામાં આતંકવાદીઓએ CRPFની પેટ્રોલ પાર્ટી પર હુમલો કર્યો છે. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે. આ ઉપરાંત 6 જવાન ઘાયલ છે જેપૈકી 4ની સ્થિતી ગંભીર છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓને પણ ઠાર માર્યા છે. આતંકવાદીની અત્યાર સુધી ઓળખ થઇ શકી નથી. હંદવાડના કાજિયાબાદ વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. આતંકવાદીઓએ સીઆરપીએફની A 92 બટાલિયન પર હુમલો કર્યો.
કોંગ્રેસ રાજનીતિમાં પણ અસત્ય પર ઉતરી આવી, રેલવે મુદ્દે કરેલી ગંદી રાજનીતિનો પર્દાફાશ થયો
સુરક્ષાદળોએ જેનો મુંહતોડ જવાબ આપ્યો. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગત્ત 48 કલાકમાં હંદવાડમાં આ બીજો સૌથી મોટો આતંકવાદી હૂમલો છે. હંદવાડ અને કુપવાડા એલઓસી નજીક સ્થિત છે. એક ઘટનાક્રમમાં આતંકવાદીઓએ શ્રીનગરનાં છત્તેરગામમાં સીઆઇએસએફના બંકરની પાસે ગ્રેનેડ ફેંક્યું. તેમાં સીઆઇએસએફનો એક જવાન શહીદ થયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે