પાસપોર્ટ એક એવો દસ્તાવેજ છે જેનાથી કોઈ પણ વ્યક્તિની ઓળખ અને તેની નાગરિકતા સાબિત થતી હોય છે. વિદેશ પ્રવાસ માટે આ સૌથી જરૂરી દસ્તાવેજ છે. તેની મદદથી જ તમે અન્ય દેશોમા ફરવાનું, ભણવાનું, બિઝનેસ કરવાનો કે અન્ય કારણોસર મુસાફરી કરી શકો છે. ભારત સરકાર તરફથી પાસપોર્ટના નિયમોમાં કેટલાક ફેરફાર કરાયા છે.
પાસપોર્ટ નિયમોમાં સંશોધન
કેન્દ્ર સરકાર તરફથી પાસપોર્ટ નિયમોમાં સંશોધન કરવામાં આવ્યું છે. જે હેઠળ 1 ઓક્ટોબર વર્ષ 2023 કે તેના પછી જન્મેલા પાસપોર્ટ અરજદારો માટે યોગ્ય સત્તાવાળાઓ દ્વારા ઈશ્યુ પ્રમાણપત્ર જ જન્મતિથિનું એક માત્ર પ્રમાણ હશે. આ અઠવાડિયે પાસપોર્ટ નિયમ 1980માં સંશોધનને પ્રભાવી કરવા માટે એક અધિકૃત નોટ જારી કરાઈ છે.
નવો પાસપોર્ટ નિયમ
નવા પાસપોર્ટ નિયમ અધિકૃત ગેઝેટમાં સુધારા પ્રકાશિત થયા બાદ અમલમાં આવશે. નવા ધારાધોરણો હેઠળ જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રાર, મ્યુનિસિપલ કોર્પોરેશન કે જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ 1969 હેઠળ સત્તા પ્રાપ્ત અન્ય કોઈ પણ સત્તા દ્વારા ઈશ્યુ કરાયેલા જન્મ પ્રમાણપત્રને 1 ઓક્ટોબર 2023 કે ત્યારબાદ પેદા થયેલા લોકો માટે જન્મતિથિના પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવશે. અન્ય અરજદારો જન્મતિથિના પ્રમાણ તરીકે વૈકલ્પિક દસ્તાવેજો જેમ કે ડ્રાઈવિંગ લાઈસન્સ, કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરી શકે છે.
ભારતીય પાસપોર્ટ
ભારતીય પાસપોર્ટ ભારત સરકાર તરફથી ઈશ્યુ થતો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ હોય છે. તેના દ્વારા વિદેશમાં મુસાફરી કરતા લોકો પોતાની નાગરિકતા સાબિત કરી શકે છે. ભારતીય પાસપોર્ટ 3 પ્રકારના હોય છે. ઓર્ડિનરી, ડિપ્લોમેટિક, અને ઓફિશિયલ. જેમાં ઓર્ડિનરી એટલે કે નિયમિત પાસપોર્ટ સામાન્ય નાગરિકોને મળે છે જ્યાર સરકારી અધિકારીઓ અને રાજનયિકો માટે ઓફિશિયલ પાસપોર્ટ હોય છે. ડિપ્લોમેટિક પાસપોર્ટને VVIP પાસપોર્ટ પણ કહેવાય છે. જે રાજનયિકો અને ઉચ્ચ સરકારી અધિકારીઓને અપાય છે. એક નિયમિત પાસપોર્ટની વેલિડિટી 10 વર્ષ સુધીની હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે