Home> India
Advertisement
Prev
Next

બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન ભારે હિંસા, અત્યાર સુધી 15 લોકોના મોત

ઉત્તર 24 પરગના, મુર્શિદાબાદ, માલદા, કૂચ બિહાર, જલપાઈગુડી, નંદીગ્રામ, નાદિયા અને પૂર્વ બર્ધમાન પશ્ચિમ બંગાળના 8 વિસ્તારો છે જે પંચાયત ચૂંટણી દરમિયાન સૌથી વધુ પ્રભાવિત થયા હતા. મોટાભાગની હિંસા આ સ્થળોએ થઈ હતી.

બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન ભારે હિંસા, અત્યાર સુધી 15 લોકોના મોત

કોલકત્તાઃ ચૂંટણી હિંસા માટે કુખ્યાત પશ્ચિમ બંગાળમાં શનિવારે ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીઓ માટે તમામ 22 જિલ્લાઓમાં એક સાથે મતદાન દરમિયાન સમગ્ર રાજ્ય ફરી ભારે હિંસા જોવા મળી હતી. ગ્રામ પંચાયત, જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની લગભગ 64,000 બેઠકો માટે સવારથી મતદાન શરૂ થતાં જ હિંસા, અથડામણ, બૂથ કેપ્ચર, બેલેટ પેપરની લૂંટફાટ અને મતદારોને ધાકધમકી આપવાનો સિલસિલો સાંજ સુધી ચાલુ રહ્યો હતો.

fallbacks

ચૂંટણી હિંસામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા
હાઈકોર્ટના નિર્દેશો પર ચૂંટણી માટે કેન્દ્રીય દળોની 822 કંપનીઓમાંથી 600 અને 1.70 લાખથી વધુ પોલીસ કર્મચારીઓની તૈનાત હોવા છતાં મતદાન શરૂ થવાના થોડા સમય પહેલાથી લઈને શનિવારે સાંજ સુધી ચાલેલી હિંસામાં 15 લોકોના મોતના સમાચાર છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

આ પણ વાંચોઃ અમદાવાદ સહિત આ શહેરોના રેલવે સ્ટેશન એરપોર્ટને મારશે ટક્કર, તસવીરો જોઈને કહેશો વાહ

ચૂંટણીની જાહેરાત બાદ 35 લોકોના મોત થયા 
આ સાથે 8 જૂને ચૂંટણીની જાહેરાત બાદ હિંસામાં મૃત્યુઆંક વધીને 35 થઈ ગયો છે. જો કે, રાજ્યના ચૂંટણી કમિશનર રાજીવ સિન્હાએ શનિવારે માત્ર ત્રણ લોકોના મોત વિશે કહ્યું છે. પંચના ડેટા અનુસાર, સાંજે 5 વાગ્યા સુધી 58,594 બૂથ પર 66.28 ટકા મતદાન થયું હતું. કુલ 2.06 લાખ ઉમેદવારો મેદાનમાં છે, જેમના ભાવિનો ફેંસલો થઈ ગયો છે. મતગણતરી 11 જુલાઈના રોજ થશે.

ઘણી જગ્યાએ હિંસાનું તાંડવ જોવા મળ્યો
મુર્શિદાબાદ, કૂચ બિહાર, દક્ષિણ 24 પરગના, માલદા અને બીરભૂમના સૌથી સંવેદનશીલ જિલ્લાઓ, જે અગાઉની ચૂંટણીઓ દરમિયાન હંમેશા હિંસાનું કેન્દ્ર રહ્યા છે, ફરીથી મોટા પાયે હિંસા જોવા મળી હતી. મુર્શિદાબાદમાં સૌથી વધુ પાંચ મૃત્યુ નોંધાયા છે. આ પછી માલદા, પૂર્વ બર્ધમાન અને કૂચ બિહારમાં બે-બે અને દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણા, નાદિયા અને ઉત્તર દિનાજપુરમાં એક-એક મૃત્યુ નોંધાયા છે. શાસક તૃણમૂલ કોંગ્રેસે સૌથી વધુ નવ મૃત્યુનો દાવો કર્યો છે, ભાજપ અને કોંગ્રેસના બે-બે, જ્યારે એક CPI(M) કાર્યકર અને એક સ્વતંત્ર ઉમેદવારના સમર્થક માર્યા ગયા છે.

આ પણ વાંચોઃ Amarnath Yatra News: ફરી રદ્દ થઈ અમરનાથ યાત્રા, ખરાબ હવામાન ભક્તો માટે બન્યું આફત

કૂચબિહારમાં ભાજપના પોલિંગ એજન્ટની હત્યા
મુર્શિદાબાદ અને કૂચબિહારના કેટલાક વિસ્તારોમાં મતપેટીઓ તોડી પાડવાની, તેની સાથે ભાગી જવાની અને મતદાન મથકોને આગ લગાડવાની ઘટનાઓ નોંધાઈ છે. કૂચ બિહારના ફાલીમારીમાં બીજેપીના પોલિંગ એજન્ટ માધવ બિસ્વાસની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ગૃહમંત્રીએ હિંસા પર માંગ્યો રિપોર્ટ
આ વચ્ચે હિંસા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુકાંત મજૂમદાર પાસે રિપોર્ટ માંગ્યો છે. બીજીતરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ સુકાંત સાથે ફોન પર વાત કરી હિંસા અંગે માહિતી મેળવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More