Home> India
Advertisement
Prev
Next

Coronavirus Update in Maharashtra: મહારાષ્ટ્રમાં રેકોર્ડ 63 હજારથી વધુ કેસ, મંત્રીએ આપ્યા કડક લૉકડાઉનના સંકેત

Maharashtra Coronavirus Latest News: મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના રેકોર્ડ 63 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. મહામારીમાં વધુ 349 લોકોના મૃત્યુ થયા છે. બીજીતરફ રાજ્યમાં સતત વધી રહેલા કેસને જોતા ઉદ્ધવ સરકારમાં મંત્રી અસલમ શેખે રાજ્યમાં સખત લૉકડાઉનના સંકેત આપ્યા છે. 

Coronavirus Update in Maharashtra: મહારાષ્ટ્રમાં રેકોર્ડ 63 હજારથી વધુ કેસ, મંત્રીએ આપ્યા કડક લૉકડાઉનના સંકેત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ (Maharashtra corona news) ના હવે ડરાવતા આંકડા સામે આવવા લાગ્યા છે. રાજ્યમાં રવિવારે કોરોનાના રેકોર્ડ 63 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. તો રાજધાની મુંબઈમાં કોરોના સંક્રમણના આશરે 10 હજાર કેસ સામે આવ્યા, જ્યારે 58 દર્દીઓના મૃત્યુ થયા છે. તો મુંબઈના ગાર્ડિયન મિનિસ્ટર અસમલ શેખે મહારાષ્ટ્રમાં કડક લૉકડાઉન લગાવવાના સંકેત આપ્યા છે. 

fallbacks

રવિવારે જારી મેડિકલ બુલેટિન પ્રમાણે મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 63294 પોઝિટિવ કેસ આવ્યા અને 349 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના  3407245 કેસ નોંધાયા છે. તો મહામારીને કારણે કુલ 57,987 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી  27,82,161 કોરોના દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલના સમયમાં કોરોનાના 5,65,587 એક્ટિવ કેસ છે. 

મુંબઈમાં દસ હજારની નજીક કેસ
મુંબઈમાં કોરોના વાયરસ સંક્રમણના 9989 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા  520224 થઈ ગઈ છે. તો રાજ્યમાં સાજા થનારા લોકોની સંખ્યા વધીને 414641 થઈ ગયા છે. આ સિવાય મુંબઈમાં અત્યાર સુધી કોરોના મહામારીને કારણે 12017 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. 

મહારાષ્ટ્રમાં કડક લૉકડાઉનના સંકેત
મુંબઈના ગાર્ડિયન મિનિસ્ટર અસમલ શેખે મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લૉકડાઉનના સંકેત આપ્યા છે. રવિવારે કોવિડ ટાસ્ક ફોર્સની બેઠક બાદ અસમ શેખે કહ્યુ કે, મહારાષ્ટ્રમાં અચાનક લૉકડાઉન લાગવા જઈ રહ્યું નથી. અમે અનેકવાર લોકોને સમજાવ્યા કે સરકારી ગાઇડલાઇનનું પાલન કરો. તેવામાં સરકારે હવે કોરોનાની ચેન તોડવા માટે કડક લૉકડાઉન લગાવવું પડશે. 

8 કે 15 દિવસનું લૉકડાઉન લગાવવાની ભલામણ
ટાસ્ક ફોર્સે કહ્યુ કે આ લૉકડાઉન ખુબ કડક હશે. રાજ્યમાં કોરોનાથી મૃત્યુદર ઘટાડવા માટે લૉકડાઉન જરૂરી છે. ટાસ્ક ફોર્સની બેઠકમાં 3 સભ્યોએ 8 દિવસના લૉકડાઉનની વકાલત કરી તો ત્રણ સભ્યોએ 14 દિવસની વાત કહી છે. નિષ્ણાંતોનું માનવું છે કે લૉકડાઉન વગર કોરોના સંક્રમણની ચેન તૂટશે નહીં.

આ પણ વાંચોઃ Corona vaccination campaign: પંજાબ સરકારે સોનૂ સૂદને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર, CM અમરિંદરે આપી શુભેચ્છા

લૉકડાઉન પહેલા જનતાને મળી શકે છે એક-બે દિવસનો સમય
આ સિવાય બેઠકમાં ટાસ્ટ ફોર્સે રાજ્યમાં બેડની કમી, ઓક્સીજનની કમીને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. તો કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં લૉકડાઉન કે કોઈ મોટો નિર્ણય જાહેર કરતા પહેલા મુખ્યમંત્રી જનતાને એક-બે દિવસનો સમય આપી શકે છે. બેઠકમાં હેલ્થ સેક્રેટરી પ્રદીપ વ્યાસ, ડો. તાત્યારાવ લહાને, સંજય ઓક, ડો અવિનાશ સુપે, ડો શશાંક જોશી, ડો રાહુલ પંડિત હાજર હતા. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More