AC Temperature Limit: ઉનાળાની ઋતુમાં AC અને કુલરથી ઘણી હદ સુધી રાહત મળે છે. કેટલાક લોકો વારંવાર પોતાની જરૂરિયાત મુજબ ACનું ટેમ્પરેચર અપ-ડાઉન કરતા હોય છે. પરંતુ હવેથી આવું નહીં થાય. સરકારે ACના ટેમ્પરેચરની લિમિટ સેટ કરી દીધી છે.
ભારતમાં AC ટેમ્પરેચરની લિમિટ નક્કી
AC ટેમ્પરેચર લિમિટ અંગે ટૂંક સમયમાં નવા નિયમો જાહેર થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે આ જાહેરાત કરી છે. મનોહર લાલ ખટ્ટરના મતે ACનું ટેમ્પરેચર 20°C થી ઓછું અને 28°C થી વધુ નક્કી કરી શકાતું નથી. તેમણે તેને ઊર્જા સુરક્ષા તરફ એક મોટું પગલું ગણાવ્યું છે.
ગુજરાતમાં ચોમાસું ક્યારે થશે સક્રિય?આ જિલ્લામાં ભારે વરસાદ સાથે મોન્સુન કરશે એન્ટ્રી
કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરનું AC ટેમ્પરેચર લિમિટ અંગે નિવેદન
કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, "20°C થી 28°C વચ્ચે AC માટે ટેમ્પરેચરનું નવું માનક નક્કી કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે, ACનું ટેમ્પરેચર 20°C થી ઓછું અને 28°C થી વધુ ગરમ થઈ શકશે નહીં." તેમણે કહ્યું કે, આ નિયમ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. નિયમ લાગુ થયા પછી, તેની અસર પર નજર રાખવામાં આવશે.
29 જૂનથી પલટશે આ રાશિઓની કિસ્મત,ધનના દાતા શુક્ર કરશે પોતાની રાશિમાં પ્રવેશ;થશે ધનલાભ
કેન્દ્રીય ઉર્જા, ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી ખટ્ટરના મતે, ACના ઉપયોગમાં એકરૂપતા લાવવા અને વધુ પડતા વીજ વપરાશને ઘટાડવા માટે નવો નિયમ લાગુ કરી શકાય છે.
તમને જણાવી દઈએ કે, ઘણા ભારતીય ઘરો અને ઓફિસોમાં ACનું તાપમાન 20°Cથી નીચે રાખવામાં આવે છે. આના કારણે વીજળીનો વપરાશ વધે છે. એટલું જ નહીં, આના કારણે રાષ્ટ્રીય પાવર ગ્રીડ પર વધુ દબાણ આવે છે.
કરોડપતિ બનાવી દેશે PPFમાં રોકાણની આ ફોર્મ્યુલા, દર મહિને ખાતામાં આવશે આટલા રૂપિયા!
બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી અનુસાર, વીજળીના વપરાશમાં ઘટાડો ACના તાપમાનમાં વધારો કરવાથી થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો એસીના તાપમાનને 20°C થી 24°C સુધી વધારવામાં આવે તો 24% વીજળી બચાવી શકાય છે. આમ કરીને તાપમાનમાં 1°C વધારો કરીને લગભગ 6 ટકા વીજળી બચાવી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે