Home> World
Advertisement
Prev
Next

'યુદ્ધ બંધ થયું કારણ કે અમે...', પાકિસ્તાન સાથે ભારતે કેમ કર્યું યુદ્ધવિરામ, વિદેશ મંત્રી એસ જયશંકરે કર્યો ખુલાસો

S Jaishankar On Ceasefire: 10 મેના રોજ ભારતે નૂર ખાન, રફીકી, મુરીદ, સુક્કુર, સિયાલકોટ, પસરુર, ચુનિયા, સરગોધા, સ્કર્દુ, ભોલારી અને જેકોબાબાદ સહિત 11 લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા હતા.
 

'યુદ્ધ બંધ થયું કારણ કે અમે...', પાકિસ્તાન સાથે ભારતે કેમ કર્યું યુદ્ધવિરામ, વિદેશ મંત્રી એસ જયશંકરે કર્યો ખુલાસો

S Jaishankar On Ceasefire: ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ અંગે વિપક્ષ સરકારને સતત પ્રશ્નો પૂછી રહ્યું છે. આ દરમિયાન, વિદેશ મંત્રી એસ. જયશંકરે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે કે ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ કેમ કર્યો? 10 મેના રોજ યુદ્ધવિરામના વાસ્તવિક કારણો સમજાવતા તેમણે કહ્યું કે, અમે પાકિસ્તાનના 8 મુખ્ય વાયુસેના મથકો પર હુમલો કર્યો અને તેના કારણે યુદ્ધ બંધ કરવામાં આવ્યું.

fallbacks

અમેરિકન ન્યૂઝ વેબસાઇટ સાથેની એક ઈન્ટરવ્યુંમા જયશંકરે કહ્યું કે 10મી તારીખે લડાઈ એક જ કારણસર બંધ થઈ ગઈ, અને તે એ છે કે અમે 10મી તારીખે સવારે આ 8 મુખ્ય પાકિસ્તાની એરફિલ્ડ્સને નિશાન બનાવ્યા અને તેમને ભારે નુકસાન કર્યું અને તેને કામ કરવા લાયક રહ્યા નહીં અને તમે મારા પર વિશ્વાસ ભલે ન કરો, આ તસવીરો ગૂગલ પર ઉપલબ્ધ છે. તમે જે રનવે અને હેંગરો પર હુમલો કરવામાં આવ્યો છે તે જોઈ શકો છો.

એસ. જયશંકરે પાકિસ્તાનને ચેતવણી આપી

જયશંકરે આતંકવાદ સામે લડવા માટે દેશની પ્રતિબદ્ધતા વિશે એક મજબૂત અને સ્પષ્ટ સંદેશ આપ્યો. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી કે અમને કોઈ ફરક નથી પડતો કે તેઓ ક્યાં છે. જો તેઓ પાકિસ્તાનની અંદર સુધી છે, તો અમે પાકિસ્તાનની અંદર સુધી જઈશું."

બ્રસેલ્સની તેમની મુલાકાત દરમિયાન, તેમણે કહ્યું કે આ (પાકિસ્તાન) એક એવો દેશ છે જે રાજ્ય નીતિના સાધન તરીકે આતંકવાદનો ઉપયોગ કરવામાં ખૂબ જ ડૂબેલો છે. આ જ આખો મુદ્દો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું બંને દેશોને યુદ્ધની અણી પર લાવનાર પરિસ્થિતિઓ હજુ પણ અસ્તિત્વમાં છે, ત્યારે તેમણે કહ્યું કે જો તમે આતંકવાદ પ્રત્યેની પ્રતિબદ્ધતાને તણાવનું કારણ કહો છો, તો તે ચોક્કસપણે છે.

ભારતીય વિમાનોને નુકસાન થવાના અહેવાલો પર જયશંકરે શું કહ્યું?

યુદ્ધવિરામ તેમજ લશ્કરી હુમલામાં ભારતીય જેટને નુકસાન થવાના અહેવાલો અંગે, જયશંકરે કહ્યું કે જ્યાં સુધી મારો સવાલ છે, રાફેલ કેટલું અસરકારક હતું અથવા પ્રમાણિકપણે અન્ય સિસ્ટમો કેટલી અસરકારક હતી, મારા માટે આનો પુરાવો પાકિસ્તાની પક્ષના નાશ પામેલા અને નિષ્ક્રિય એરફિલ્ડ્સ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More