Home> India
Advertisement
Prev
Next

50 વર્ષથી આ ગામમાં નથી થયો કોઈ બાળકનો જન્મ, કારણ જાણીને ચોંકી જશો તમે

મધ્યપ્રદેશના સીધી જિલ્લાના છેલ્લા, ભુઈમાડ ક્ષેત્રનું હર્રઈ ગામ છે. જાણો આ ગામમાં લોકોને સંતાન ન થવાનું શું કારણ છે.
 

 50 વર્ષથી આ ગામમાં નથી થયો કોઈ બાળકનો જન્મ, કારણ જાણીને ચોંકી જશો તમે

નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ ભાગમાં અનેક પ્રથાઓ અને કહાનીઓ છે. દેશમાં એક ગામમાં એવો શ્રાપ છે કે ત્યાં રહેતા લોકોને બાળકો પેદા થતાં નથી. સંતાન માટે અન્ય જગ્યાએ જઈને રહેવું પડે છે. આ ગામ મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં છે. અહીં ખૈરવાર સમાજના લોકો રહે છે. તેવામાં નવી યુવા પેઢી ગામ છોડી બીજા ગામમાં રહે છે. ત્યારે તેને સંતાન પેદા થાય છે.

fallbacks

કઈ જગ્યાએ આવેલું છે આ ગામ
મધ્યપ્રદેશના સીધી જિલ્લાનું છેલ્લું ગામ છે. આ મુઈમાડ ક્ષેત્રનું હર્રઈ ગામ છે. ભુઈભાડ ક્ષેત્ર જિલ્લા મુખ્યાલયથી90 કિલોમીટર દૂર છે. કહેવામાં આવે છે કે આ ગામ ગાઢ જંગલો વચ્ચે છે.

ગામની વસ્તી
હર્રઈ ગામમાં ખૈરવાર સમાજની 4 હજારથી વધુ વસ્તી છે. ગામમાં આશરે 20 લોકોને બાળક નથી. આ સમાજના બીજા ગામમાં રહેતા લોકોને સંતાન થઈ જાય છે.

આ પણ વાંચોઃ ગણતરીની કલાકો બાદ દેશભરમાં બદલાઈ જશે આ નિયમ, બધા લોકો પર થશે સીધી અસર

ગામમાં બાળક ન થવાનું કારણ
હર્રઈ ગામમાં રહેતા ખૈરવાર સમાજના લોકો માને છે કે ગામના દેવી નારાજ હોવાને કારણે તેને સંતાન થતાં નથી. ગામના લોકોનો આ વિશ્વાસ છેલ્લા 40 વર્ષથી છે.

દેવી નારાજ થવાની શું કહાની છે
ગામલોકો પ્રમાણે ખૈરવાર સમાજના પૂર્વજ છત્તીસગઢથી અંગારા દેવીની મૂર્તિ ચોરી હર્રઈ ગામ લાવ્યા હતા. તેમણે દેવીને જૂની પીપળાના ઝાડની નીચે સ્થાપિત કરી હી. દેવીની પૂજામાં બંદૂકની સલામી આપવામાં આવી હતી, પરંતુ જ્યારે સરકાર તરફથી ગામલોકોની બંદૂકો જપ્ત કરી લેવામાં આવી તો દેવીની પૂજા થાય છે પરંતુ સલામી આપવામાં આવી નથી. ગામલોકો માને છે કે તેથી અંગારા દેવી નારાજ છે. પછી એકવાર ત્યાં એક કલેક્ટરે બંદૂક અપાવી હતી, પૂજામાં સલામી પણ આપવામાં આવી હતી. પરંતુ દેવી નારાજ રહ્યાં. તેથી લોકો ત્યાંથી પલાયન કરી બીજા ગામમાં વસે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More