કુદરતનો કહેર હવે એક અપવાદ નહીં પરંતુ દર વર્ષે વધતું સંકટ બની રહ્યું છે. ઈન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ મોનિટરિંગ સેન્ટર (IDMC) નો લેટેસ્ટ રિપોર્ટ જણાવે છે કે 2015થી 2024 સુધી દુનિયાભરમાં 26.48 કરોડ લોકો પૂર, તોફાન, ભૂકંપ અને જંગલની આગ જેવી કુદરતી આફતોના કારણે પોતાના ઘર છોડવા માટે મજબૂર થયા.
ગત વર્ષે 4.58 કરોડ લોકો બેઘર થયા
ફક્ત 2024માં જ 4.58 કરોડ લોકોએ ઘર છોડવા પડ્યા. જે વીતેલા દાયકાની સૌથી મોટી સંખ્યા છે. આ આંકડો છેલ્લા 10 વર્ષની સરેરાશથી લગભગ બમણો છે.
ભારતની સ્થિતિ ચિંતાજનક
ભારતમાં સ્થિતિ ગંભીર છે. છેલ્લા 10 વર્ષમાં અહીં 3.2 કરોડ લોકોનું વિસ્થાપન થયું. 2024માં દક્ષિણ એશિયામાં થયેલા 92 લાખ વિસ્થાપનોમાં સૌથી મોટો હિસ્સો ભારત સંલગ્ન હતો. 2019માં આવેલા ચક્રવાત ફાની અને બુલબુલે 4 લાખથી વધુ લોકોને બેઘર કર્યા હતા.
સૌથી મોટા કારણો
રિપોર્ટમાં કહેવાયું છે કે કુલ 89 ટકા વિસ્થાપન પૂર અને તોફાનના કારણે થયું. આ ઉપરાંત ભૂકંપ, જંગલની આગ અને દુષ્કાળ જેવી આફતોએ પણ લાખોને પ્રભાવિત કર્યા.
ભૂકંપ, આગ અને દુષ્કાળ પણ કાર
2023માં તુર્કી અને સિરીયામાં ભૂકંપે 47 લાખ લોકોને વિસ્થાપિત કર્યા. કેનેડામાં જંગલની આગથી 1.85 લાખ લોકો બેઘર થયા. આફ્રીકામાં દુષ્કાળ 21 લાખ લોકોને વિસ્થાપિત કરવાનું કારણ બન્યું. IDMC ના રિપોર્ટ મુજબ 2015થી 2024 વચ્ચે 21.9 કરોડ વિસ્થાપન હવામાન સંબંધી આફતોના કારણે થયા. વિશેષજ્ઞોનું માનવું છે કે જો જળવાયુ પરિવર્તનને રોકવામાં નહીં આવે તો દર વર્ષે 5.5થી 10 કરોડ લોકો વિસ્થાપિત થઈ શકે છે.
સૌથી વધુ જોખમ ભારત જેવા દેશોને
ભારત જેવા ઘીચ વસ્તી ધરાવતા દેશ, જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નબળું છે ત્યાં સૌથી વધુ જોખમ છે. દાખલા તરીકે 2023માં ભારતમાં ચોમાસામાં પુરથી 82 લાખ લોકો વિસ્થાપિત થયા. વિસ્થાપનથી લોકોના ઘર જ નથી ઉજડતા પરંતુ તેમના જીવનના દરેક પહેલુ પ્રભાવિત થાય છે. દર વર્ષે અબજો ડોલરની સંપત્તિ નષ્ટ થાય છે. લોકો શિક્ષણ, સ્વાસ્થ્ય, અને રોજગારીથી દૂર થાય છે. વિસ્થાપનથી ખાદ્ય અસુરક્ષા વધે છે, ખાસ કરીને ગરીબ દેશોમાં.
IDMC અને endai Framework for Disaster Risk Reduction (2015-2030) હેઠળ અનેક સૂચનો અપાયા છે. જેમાં કહેવાયું છે કે સારો ડેટા સંગ્રહ જેથી કરરીને નીતિ નિર્ધારિત સટીક હોય, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે ઘર, બંધ અને રસ્તાઓ, અર્લી વોર્નિંગ સિસ્ટમ, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો માટે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જળવાયુ મુદ્દે લાંબા ગાળાના રોકાણ.
131 દેશોએ બનાવી આફત અંગે રણનીતિઓ
ભારતે પણ આ દિશામાં ડગ માંડ્યા છે. 2023 સુધી ભારતના 110 પ્રશાસનિક ક્ષેત્રોએ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનની રણનીતિઓ અપનાવી છે. જો કે પડકાર હજુ પણ ઘણા મોટા છે અને સતર્કતા જ તેનો સૌથી કારગર જવાબ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે