પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીર મંડપ મહોત્સવમાં આજે બુધવારે સવારે દુર્ઘટના સર્જાઈ હતી. મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક ધરાશાયી થયો હતો. મંડપ ધરાશાયી થવાથી નાસભાગ મચી ગઈ હતી. જેમાં આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું તથા 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે.
ગુજરાતમાં જો વરસાદ ખેચાશે તો સર્જાશે પાણીની સમસ્યા, આ 51 ડેમો થયા તળિયા જાટક
આજે બુધવારે ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સવારના સમયે મંડપ ખડો થયો તે દરમ્યાન એકએક નીચે પટકાયો હતો. મંડપ મહોત્સવમાં હજારોની સંખ્યામા લોકો એકત્રીત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોને દૂર કર્યા હતા.
ગુજરાતમા આગામી 7 દિવસ ખુબ જ ભારે; આ વિસ્તારો માટે અંબાલાલ અને હવામાને કરી મોટી આગાહી
મોટી સંખ્યામા લોકો ઉમટી પડયા
આ વિસ્તારના લોકો રામદેવપીર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. સમયાંતરે ચોપાટી ખાતે મંડપ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. આવી દુર્ઘટના ભાગ્યે જ બને છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવના ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા મંગળવારની રાત્રીના જ મોટી સંખ્યામા લોકો ઉમટી પડયા હતા. આજે બુધવારે સવારના સમયે મંડપ ખડો થવાનુ મર્હુત હતુ મંડપ ખડો થયો તે સમયે તે કોઇ કારણોસર નીચે પડકાયો હતો.
કથાકાર મોરારીબાપુના ધર્મપત્નીનું નિધન; તલગાજરડા નિવાસસ્થાને લીધા અંતિમ શ્વાસ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે