Home> India
Advertisement
Prev
Next

Goa ના દ્વીપ પર તિરંગો ફરકાવવાનો વિરોધ, Indian Navy એ રદ કર્યો પ્રોગ્રામ, CM એ કહ્યું - જરૂરથી ફરકાવવામાં આવશે ધ્વજ

ગોવાના (Goa) સાઓ જેસિન્ટો ટાપુ (Sao Jacinto Island) પર તિરંગો ફરકાવવાનો વિવાદ ઉગ્ર બન્યો છે. સ્થાનિક લોકોના વિરોધ બાદ નૌકાદળે (Indian Navy) આ ટાપુ પર ધ્વજવંદન કાર્યક્રમ રદ કર્યો છે

Goa ના દ્વીપ પર તિરંગો ફરકાવવાનો વિરોધ, Indian Navy એ રદ કર્યો પ્રોગ્રામ, CM એ કહ્યું - જરૂરથી ફરકાવવામાં આવશે ધ્વજ

પણજી: ગોવાના (Goa) સાઓ જેસિન્ટો ટાપુ (Sao Jacinto Island) પર તિરંગો ફરકાવવાનો વિવાદ ઉગ્ર બન્યો છે. સ્થાનિક લોકોના વિરોધ બાદ નૌકાદળે (Indian Navy) આ ટાપુ પર ધ્વજવંદન કાર્યક્રમ રદ કર્યો છે. ત્યારે સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે, ટાપુ પર તિરંગો કોઈપણ કિંમતે ફરકાવવામાં આવશે.

fallbacks

આ ટાપુ પર યોજાવાનો હતો સમારોહ
તમને જણાવી દઈએ કે દેશની આઝાદીના 75 માં વર્ષ નિમિત્તે લોકોમાં દેશભક્તિની ભાવના કેળવવા માટે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અભિયાન ચાલી રહ્યું છે. આ અંતર્ગત સંરક્ષણ મંત્રાલયે 13 થી 15 ઓગસ્ટ દરમિયાન દેશભરના ટાપુઓ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની યોજના બનાવી છે. આ અભિયાન હેઠળ નૌકાદળ (Indian Navy) વિવિધ વિસ્તારોમાં ધ્વજવંદન કાર્યક્રમો કરી રહી છે.

આ પણ વાંચો:- દિલ્હીની સ્કૂલોમાં હવે બાળકોને ભણાવવામાં આવશે દેશ ભક્તિ, કોર્ષમાં આ વાત થઈ સામેલ

નૌકાદળે ગોવાના (Goa) એક ટાપુ સાઓ જેસિન્ટો (Sao Jacinto Island) પર કાર્યક્રમનું સંચાલન કરવા માટે તે જમીનના માલિક એન્થોની રોડ્રિગ્ઝ પાસેથી મંજૂરી મેળવી હતી. આ ટાપુ દરિયાકાંઠાના રાજ્યના દક્ષિણ ગોવા જિલ્લામાં વાસ્કો શહેર નજીક છે. આ પરવાનગી બાદ આસપાસના કેટલાક લોકોએ આ મુદ્દે એન્થોની સામે વાંધો ઉઠાવ્યો.

સ્થાનિક લોકોએ ઉઠાવ્યો વાંધો
એન્થોની રોડ્રિગ્ઝ કહે છે, 'ઘણા સ્થાનિક રહેવાસીઓ મારા નિવાસસ્થાને આવ્યા અને મને પૂછ્યું કે મેં ધ્વજ ફરકાવવાના કાર્યક્રમની પરવાનગી કેમ આપી. વાંધો એ છે કે નૌકાદળ ભવિષ્યમાં ટાપુનો કબજો લઈ શકે છે. એટલા માટે મેં નેવીને સ્થાનિક લોકોના વાંધાઓ વિશે જાણ કરી.

આ પણ વાંચો:- સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિએ કહ્યું- જમ્મુ કાશ્મીરમાં દેખાય છે નવ-જાગરણ

અન્ય એક રહેવાસી, કસ્ટોડિયો ડિસોઝાએ કહ્યું કે આ મુદ્દો ધ્વજ ફરકાવવાનો નથી. તેમણે કહ્યું, 'જો નૌકાદળ (Indian Navy) આપણા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં સામેલ છે, તો અમને તેમાં કોઈ ખચકાટ નથી. ટાપુના લોકો ચિંતિત છે કે કેન્દ્ર સરકાર મેજર પોર્ટ ઓથોરિટીઝ એક્ટ, 2020 હેઠળ ભવિષ્યમાં ટાપુ પર નિયંત્રણ લઈ શકે છે.

અન્ય એક રહેવાસીએ કહ્યું, 'અમે અમારા ટાપુને કોઈપણ સંજોગોમાં સુરક્ષિત રાખવા માગીએ છીએ. અમને કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન સહિત વિવિધ ક્વાર્ટર્સ તરફથી ધમકીઓ મળી રહી છે.' લોકોના આ વિરોધ બાદ નેવીએ ટાપુ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ રદ કર્યો હતો.

આ પણ વાંચો:- J&K માં જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ, 4 આતંકીઓની ધરપકડ; મોટી દુર્ઘટના ટળી

નેવીએ રદ કર્યો તિરંગા સમારોહ
ગોવામાં (Goa) આઈએનએસ હંસ બેઝના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતની પહેલના ભાગરૂપે નૌકાદળની ટીમે સાઓ જેસિન્ટો ટાપુ સહિત ગોવાના ટાપુઓની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું, "જેસિન્ટો ટાપુ પરની યોજનાને રદ કરવી પડી કારણ કે રહેવાસીઓએ તેનો વિરોધ કર્યો હતો."

નૌકાદળની (Indian Navy) આ જાહેરાતને CM પ્રમોદ સાવંતે (Pramod Sawant) ખેદજનક ગણાવી છે. CM સાવંતે ટ્વિટ કર્યું, 'દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે કે કેટલાક લોકો જેસિન્ટો ટાપુ પર નૌકાદળના ધ્વજવંદન કાર્યક્રમ સામે વાંધો ઉઠાવી રહ્યા છે. હું આની નિંદા કરું છું અને જણાવવા માંગુ છું કે તેમની સરકાર આવા કૃત્યોને સહન કરશે નહીં.

આ પણ વાંચો:- આઝાદીના પર્વ પર 1,380 શૂરવીરોનું થશે સન્માન, J&K પોલીસને સૌથી વધુ મેડલ

કોઈપણ ભોગે થશે સમારોહ- મુખ્યમંત્રી
તેમણે કહ્યું, 'મેં નૌકાદળને તેમની મૂળ યોજના સાથે આગળ વધવાની વિનંતી કરી છે. તેમને ગોવા પોલીસ તરફથી સંપૂર્ણ સહકારની ખાતરી આપવામાં આવી છે. ભારત વિરોધી આવા પ્રયાસ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાષ્ટ્ર હંમેશા પ્રથમ રહેશે.

તેમણે સ્પષ્ટપણે કહ્યું, 'ધ્વજવંદન કાર્યક્રમ કોઈપણ ભોગે થશે. મેં અધિકારીઓને ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ છે તેની ખાતરી કરવા કહ્યું છે. તેમણે ટાપુવાસીઓને ચેતવણી આપી હતી કે "ભારત વિરોધી પ્રવૃત્તિઓ" સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More