Home> India
Advertisement
Prev
Next

Mock Drill: ભારત-પાક તણાવ વચ્ચે આવતી કાલે થશે મોક ડ્રિલ, સરકારે કેમ લીધો આ નિર્ણય? શું છે તેની પાછળનો હેતુ, ખાસ જાણો

Pahalgam Attack: તમારે એ સમજવાની જરૂર છે કે આખરે મોક ડ્રિલનો આદેશ કેમ આપવામાં આવ્યો? વાત જાણે એમ છે કે મોક ડ્રિલ સામાન્ય રીતે યુદ્ધની સ્થિતિમાં કરવામાં આવે છે. સ્પષ્ટ છે કે હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ છેડાય તેવો માહોલ છે. સિવિલ ડિફેન્સ મોકડ્રિલ દ્વારા સીધો ઈશારો છે કે આવનારા દિવસોમાં કઈક મોટું થવાનું છે. 

Mock Drill: ભારત-પાક તણાવ વચ્ચે આવતી કાલે થશે મોક ડ્રિલ, સરકારે કેમ લીધો આ નિર્ણય? શું છે તેની પાછળનો હેતુ, ખાસ જાણો

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ ચરમસીમાએ છે. આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોથી 7 મેના રોજ મોક ડ્રિલ આયોજિત કરવાનું કહ્યું છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને ગૃહ મંત્રાલય તરફથી સર્ક્યુલર મોકલવામાં આવ્યો છે. તેમાં મોક ડ્રિલ દરમિયાન કરવામાં આવનારા ઉપાયો અંગે જાણકારી આપવામાં આવી છે. તેમાં કહેવાયું છે સરકારે સાત મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં નાગરિક સુરક્ષા અભ્યાસ અને રિહર્સલ આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. પત્રમાં કહેવાયું છે કે અભ્યાસનું આયોજન ગામડાના સ્તર સુધી કરવાની યોજના ઘડવામાં આવી છે. આ અભ્યાસનો હેતુ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાગરિક સુરક્ષા તંત્રની તૈયારીનું આકલન કરવું અને તેને વધારવાનો છે. 

fallbacks

શું હોય છે મોક ડ્રિલ અને કેન્દ્ર સરકારની આ પહેલનો શું હેતુ?
મોક ડ્રિલ એક પ્રકારનો અભ્યાસ હોય છે. તેને ઈમરજન્સી સ્થિતિ જેમ કે કુદરતી આફત, આગ, આતંકવાદી હુમલો કે અન્ય સંકટની સ્થિતિમાં કરાવવામાં આવે છે. તેનો હેતુ લોકો, સંગઠનો અને ઈમરજન્સી સેવાઓને વાસ્તવિક સંકટ માટે તૈયાર કરવા, તેમની પ્રતિક્રિયાનું પરીક્ષણ કરવું અને કમીઓને સુધારવાનો છે. મોક ડ્રિલ ઈમરજન્સી તૈયારીઓને મજબૂત કરે છે અને જાગૃતતા વધારવાનું કામ કરે છે. ભારતમાં જ્યાં જનસંખ્યા ડેન્સિટી વધુ છે, મોક ડ્રિલ જીવન રક્ષા માટે ખુબ જ મહત્વની છે. 

મોક ડ્રિલનો હેતુ આ પ્રકારે છે...

- એર રેડ વોર્નિંગ સિસ્ટમની પ્રભાવશીલતાને ચેક કરવી.

- ઈન્ડિયન એર ફોર્સની સાથે હોટલાઈન/રેડિયો કોમ્યુનિકેશન લિંક્સને ઓપરેશનલ કરવી. 

- કંટ્રોલ રૂમ્સ અને શેડો કંટ્રોલ રૂમ્સની તત્પરતાને ટેસ્ટ કરવી.

- સામાન્ય લોકો, વિદ્યાર્થીઓ વગેરેને સિવિલ ડિફેન્સ વિશે ટ્રેનિંગ આપવી. 

- ક્રેશ બ્લેકઆઉટ મેજર્સની વ્યવસ્થા કરવી.

- જરૂરી પ્લાન્ટ્સ/ ઈન્સ્ટોલેશન્સને જલદીથી વ્યવસ્થિત કરવી. 

- સિવિલ ડિફેન્સ સર્વિસિસ, જેમ કે વોર્ડન સર્વિસિસ, ફાયર ફાઈટિંગ, રેસ્ક્યૂ ઓપરેશન્સ અને ડિપો મેનેજમેન્ટની એક્ટિવેશન અને રિસ્પોન્સ ચેક કરવા. 

- ક્રેશ બ્લેકઆઉટ મેજર્સને ચેક કરવા.

- એક્ઝિટ યોજનાઓની તૈયારીઓની સમીક્ષા કરવી. 

અત્રે જણાવાનું કે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા આ આદેશનો ટાઈમિંગ ખુબ મહત્વનો છે. કારણ કે આ નિર્દેશ એવા સમયે જારી કરાયા છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે  તણાવ ચરમસીમાએ છે અને દેશમાં ગમે ત્યારે યુદ્ધ છેડાય તેવો માહોલ છે. છેલ્લે આ અભ્યાસ 1971માં કરાયો હતો. જે વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મોરચે યુદ્ધ થયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More