Unseasonal Rain in Gujarat: સોમવારે સાંજના સમયે મિની વાવઝોડું ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલી ઉભી થઇ હતી. રાજ્યના અનેક જિલ્લાઓમાં પવના કારણે ઠેરઠેર વૃક્ષો જમીનદોસ્ત થયા હતા અને રસ્તાઓ બંધ થયા હતા. ગુજરાતમાં થયેલા આ મોતના માવઠામાં 14 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. જેમાં કૃદરતી આપદા જેવી કે વીજળી પડવાના કારણે, ઝાડ પડવાના કારણે, વરસાદના કારણે મોત થયા છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ કંટ્રોલરૂમ ફોન પર માહિતી મેળવી હતી.
રાજ્યભરમાં અલગ-અલગ ઘટનામાં 26 પશુઓ અને 14 લોકોના મોત થયા છે, જ્યારે 16 લોકોને ઇજા પહોંચી છે. ગુજરાતના જિલ્લાઓ પાસેથી દરેક જિલ્લાઓ પાસેથી વિસ્તૃત માહિતી મંગાવવામાં આવી છે. સિવિલ ડિફેન્સ DG મનોજ અગ્રવાલ, મુખ્ય સચિવ પંકજ જોશી વીસીમા જોડાશે. સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલ અધિકારીઓ પણ જોડાશે. તો બીજી તરફ જેટલા મકાનોને નુકસાન પહોંચ્યું છે. જેમાં સૌથી 4 મોત ખેડા જિલ્લામાં નોંધાયા છે, જ્યારે વડોદરા શહેરમાં 3, અરવલ્લી અને દાહોદમાં 2-2, અમદાવાદના વિરમગામ અને દસક્રોઇમાં 1-1, અને આણંદમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
અમદાવાદમાં વાવાઝોડા બાદ તારાજીના દ્રશ્યો
અમદાવાદમાં તેજ પવનો ફૂંકાતા અનેક સ્થળે હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. એયરપોર્ટ આઈકોનિક રોડ પર હોર્ડિંગ્સ ભારે પવનમાં ધરાશાયી થયા હતા. અમદાવાદમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. પવનના કારણે શહેરમાં 75 સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. 48 સ્થળેથી ધરાશાયી થયેલા વૃક્ષોનો નિકાલ કરવામાં આવ્યો છે. 38 સ્થળે હાલ વૃક્ષોના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરિયાપુરમાં ભારે પવનના કારણે વૃક્ષ પડતા એકનું મોત થયુ છે. સુરેશભાઈ સથવારાનું વૃક્ષ પડતા મોત થયું હતું. વૃક્ષ નીચે દટાતા શશાંક સથવારા નામનો યુવક ઈજાગ્રસ્ત થયો હતો. વૃક્ષ નીચે દબાતા 15થી વધુ વાહનોને નુકસાન થયું હતું.
વડોદરા શહેર અને જિલ્લામાં ત્રણના મોત
વડોદરા શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદે તારાજી સર્જી છે. ભારે પવનાના કારણે ત્રણના મોત થયા છે. જીવતો વીજ વાયર તૂટતા જીતેશ મોરે નામના વ્યકિતનું મોત થયું છે. વીજ વાયર બસ પર પડતા પરબતભાઈ ડાંગર નામના યુવકનું મોત થયું છે. સમા તળાવ નજીક કોમ્પલેક્ષની કાચની પેનલ રીક્ષા પર પડતા ગિરીશકુમાર ચૌરેનું મોત થયું છે. ભારે પવનના કારણે અનેક વિસ્તારમાં ઝાડ પડતા સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડામાં 2 યુવાનોના મોત
અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકાના ધંધાસણ ગામે વીજળી પડવાની કરુણ ઘટનામાં બે યુવાનોના મોત નીપજ્યા છે. ધંધાસણ ગામમાં પંચાયતની બાજુમાં બે યુવાનો ઉભા હતા તે દરમિયાન અચાનક વીજળી પડી હતી. ગાજવીજ અને ભારે કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદના પગલે આ વીજળી પડવાની ઘટના બની હતી. વીજળી પડતા જ બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
સોમવારે 104 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગર શહેરમાં 1 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. કેટલાક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કરા અને ભારે પવન સાથે માવઠાંના અહેવાલ પ્રાપ્ત થયા છે. ગુજરાતના મોટાભાગના સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો જોવા મળ્યો હતો. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વાવાઝોડાની સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે