Home> India
Advertisement
Prev
Next

Pahalgam Terror Attack : પહેલગામ એટેક પર પાકિસ્તાની ક્રિકેટરનું મોટું નિવેદન, કહ્યું - "હિંદુઓ નિશાના પર છે"

Pahalgam Terror Attack : ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે પહેલગામ આતંકવાદી હુમલા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પ્રતિક્રિયા આપી છે. તેમણે હિન્દુઓને નિશાન બનાવવા સામે અવાજ ઉઠાવ્યો અને પીડિતો માટે ન્યાયની માંગ કરી છે.

Pahalgam Terror Attack : પહેલગામ એટેક પર પાકિસ્તાની ક્રિકેટરનું મોટું નિવેદન, કહ્યું -

Pahalgam Terror Attack : પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર  દાનિશ કનેરિયાએ પહેલગામ આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આજે બાંગ્લાદેશ, બંગાળથી લઈને કાશ્મીર સુધી હિન્દુઓ નિશાના પર છે.

fallbacks

દાનિશ કનેરિયાએ X પર લખ્યું છે કે, પહલગામમાં વધુ એક બર્બર હુમલો. બાંગ્લાદેશથી બંગાળ અને કાશ્મીર સુધી, આ જ માનસિકતા હિન્દુઓને નિશાન બનાવી રહી છે. પરંતુ જે લોકો 'ધર્મનિરપેક્ષ' છે અને ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખે છે તેઓ આ કાયર હુમલાખોરોને 'ઉત્પીડન લઘુમતી' માને છે. આ હુમલામાં જે પીડિતોના પરિવારો પણ ભોગ બન્યા છે તેમને ન્યાય મળવો જોઈએ."

પાકિસ્તાને કહ્યું - આમા અમારો હાથ નથી

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પડોશી દેશ પાકિસ્તાને કહ્યું છે કે આ કાયરતાપૂર્ણ હુમલામાં તેની કોઈ ભૂમિકા નથી. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે આ (હુમલા) સાથે અમારો કોઈ સંબંધ નથી. અમે તમામ પ્રકારના આતંકવાદને નકારીએ છીએ. પાકિસ્તાની ટીવી ન્યૂઝ ચેનલને નિવેદન આપતાં ખ્વાજા આસિફે આરોપ લગાવ્યો કે આ હુમલા પાછળ ભારતના લોકોનો હાથ છે. ત્યાંના લોકોએ સરકાર સામે બળવો કર્યો છે.

 

આખું ક્રિકેટ જગત ગુસ્સે 

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણા ભારતીય ક્રિકેટરોએ જમ્મુ-કાશ્મીરમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. IPL 2025માં ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કરી રહેલા શુભમન ગિલે પોસ્ટ કરી છે કે, "પહલગામમાં થયેલા હુમલા વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. મારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. આપણા દેશમાં આવી હિંસાને કોઈ સ્થાન નથી."

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલે પોસ્ટ કરી પર કરી છે કે, "આજે કાશ્મીરમાં જે બન્યું તે સાંભળીને મને આઘાત લાગ્યો અને ગુસ્સો આવ્યો છે. જવાબદારોને સજા થશે, મને ખાતરી છે કે તેમને સજા થશે. હું  મ઼ૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું..."

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ આ હુમલાની સખત નિંદા કરી અને લખ્યું, "મૃતકોના પરિવારો માટે પ્રાર્થના. આ માટે જવાબદાર લોકોએ કિંમત ચૂકવવી પડશે. ભારત હુમલો કરશે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More