Home> India
Advertisement
Prev
Next

PM Modi on Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર પીએમ મોદીનો વળતો જવાબ, કહ્યું- ખેડૂતોના હિત સાથે સમાધાન નહીં કરીએ

 Today PM Modi on Trump Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રશિયા સાથેના તેલ વેપાર માટે ભારત પર વધારાના 25 ટકા ટેરિફની જાહેરાત કરી.

 PM Modi on Trump Tariff:  ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર પીએમ મોદીનો વળતો જવાબ, કહ્યું- ખેડૂતોના હિત સાથે સમાધાન નહીં કરીએ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ટેરિફને લઈને વળતો જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે ભારત પોતાના ખેડૂતોના હિત સાથે કોઈ સમજુતી કરશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રશિયા સાથે તેલ વેપાર માટે ભારત પર વધારાના 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આ વધારાના 25 ટકા ટેરિફ સાથે, અમેરિકાએ હવે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિએ ગયા અઠવાડિયે ભારતમાંથી આયાત થતા માલ પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આ સાથે, તેમણે કહ્યું હતું કે તેઓ રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર અલગ દંડ લાદશે. ત્યારબાદ તેમણે બુધવારે રશિયા સાથે વેપાર કરવા બદલ અલગ દંડ તરીકે ભારત પર અલગ 25 ટકા ટેરિફ લાદ્યો હતો.

fallbacks

ખેડૂતો, માછીમારો અને ડેરી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના હિત સાથે સમજુતી નહીં
પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીમાં આયોજીત એક સંમેલનમાં ભાગ લેતા કહ્યુ કે ખેડૂતોનું હિત ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પીએમ મોદીએ કહ્યુ કે ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના હિત સાથે ક્યારેય સમજુતી કરશે નહીં. પીએમ મોદીએ સંમેલનમાં કહ્યું- મારે ખેડૂતોના હિતોની રક્ષા માટે જે કિંમત ચુકવવી પડશે તે માટે હું તૈયાર છું. તમને જણાવી દઈએ કે અમેરિકા વેપાર મંત્રણાની શરૂઆતથી જ ભારતના કૃષિ અને ડેરી ક્ષેત્રમાં અધિકારોની માંગ કરી રહ્યું છે. પરંતુ ભારતે પહેલાથી જ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તે કૃષિ અને ડેરી ક્ષેત્ર માટે કોઈ સમાધાન કરશે નહીં.

ટ્રમ્પ હવે ભારત પર ગૌણ પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યા છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યા પછી પણ સંતુષ્ટ નથી. તેમણે કહ્યું છે કે તેઓ રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર ગૌણ પ્રતિબંધો પણ લાદશે. ટ્રમ્પે કહ્યું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાના સંદર્ભમાં ચીનની ખૂબ નજીક છે અને હવે તેણે 25 ટકા વધારાના ટેરિફ સાથે 50 ટકા ટેરિફ ચૂકવવો પડશે. ગૌણ પ્રતિબંધો એ આર્થિક પ્રતિબંધો છે જે એવા દેશ (ભારત) પર લાદવામાં આવે છે જે એવા દેશ (રશિયા) સાથે વેપાર કરે છે જેના પર પ્રાથમિક પ્રતિબંધો પહેલાથી જ લાદવામાં આવ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More