નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સરકારની સાથે જ સુરક્ષા મામલાની કેબિનેટ કમિટી એટલે કે સીસીએસ (Cabinet Committee on Security CCS) ની પણ નવેસરથી રચના કરી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમન, વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ છે.
ઈદના દિવસે પણ કાશ્મીર અશાંત, 'કાશ્મીર બનેગા પાકિસ્તાન' અને આતંકી મસૂદના બેનર જોવા મળ્યાં
આ અગાઉ પૂર્વની સરકારમાં રાજનાથ સિંહ આ કમિટીમાં ગૃહ મંત્રી તરીકે સામેલ હતાં, જ્યારે નાણા મંત્રી તરીકે અરુણ જેટલી અને વિદેશ મંત્રી તરીકે સુષમા સ્વરાજ તથા રક્ષા મંત્રી તરીકે નિર્મલા સીતારમન સામેલ હતાં.
કમિટીમાં અમિત શાહ અને એસ. જયશંકરના સ્વરૂપમાં નવા ચહેરા તો સામેલ થયા જ છે પરંતુ બધાની ભૂમિકા પણ બદલાઈ ગઈ છે. હવે નિર્મલા સીતારમન નાણા મંત્રી તરીકે જ્યારે રાજનાથ સિંહ રક્ષા મંત્રી તરીકે સીસીએસની બેઠકમાં સામેલ થયા છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે સુરક્ષા મામલાની સમિતિ કેન્દ્ર સરકારમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે. જેમાં વડાપ્રધાન ઉપરાંત કેબિનેટના અત્યંત મહત્વના ચાર વિભાગોના મંત્રી પણ સામેલ હોય છે. આથી આ કેબિનેટને સૌથી શક્તિશાળી કમિટી ગણવામાં આવે છે. સીસીએસમાં સામેલ મંત્રીઓને સરકારના સૌથી શક્તિશાળી મંત્રીઓ ગણવામાં આવે છે. કારણ કે મહત્વના રણનીતિક અને કૂટનીતિક નિર્ણયો આ કમિટીમાં લેવાય છે. સીસીએસ બીજા દેશના સાથેની સંધિ, કરાર, હથિયારોની ખરીદી-વેચાણ, દેશના આંતરિક સુરક્ષા હાલાત પર નિર્ણય લે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે