PM Narendra Modi Tweet : ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે પીએમ મોદીનું પહેલું ટ્વિટ આવ્યું છે. તેમણે ક્રમશઃ ત્રણ ટ્વીટ કર્યા છે. એકમાં તેમણે નવા પોપને અભિનંદન આપ્યા છે, બીજામાં તેમણે મહારાણા પ્રતાપની જન્મજયંતિ પર ટ્વિટ કર્યું છે અને ત્રીજામાં તેમણે રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ પર ટ્વિટ કર્યું છે.
નવા પોપને અભિનંદન આપતી વખતે પીએમ મોદીએ લખ્યું કે ભારતના લોકો વતી, હું પરમ પૂજ્ય પોપ લીઓ XIVને મારા હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. કેથોલિક ચર્ચનું તેમનું નેતૃત્વ શાંતિ, સંવાદિતા, એકતા અને સેવાના આદર્શોને આગળ વધારવાના નિર્ણાયક સમયે આવે છે. ભારત આપણા સહિયારા મૂલ્યોને આગળ વધારવા માટે સતત સંવાદ અને જોડાણ માટે પ્રતિબદ્ધ છે.
I convey sincere felicitations and best wishes from the people of India to His Holiness Pope Leo XIV. His leadership of the Catholic Church comes at a moment of profound significance in advancing the ideals of peace, harmony, solidarity and service. India remains committed to…
— Narendra Modi (@narendramodi) May 9, 2025
સતત ત્રણ ટ્વીટ
પોતાના બીજા ટ્વીટમાં પીએમ મોદીએ લખ્યું કે દેશના અમર યોદ્ધા મહારાણા પ્રતાપને તેમની જન્મજયંતિ પર કરોડો નમન. માતૃભૂમિના આત્મસન્માનની રક્ષા માટે તેમણે જે હિંમત અને બહાદુરી બતાવી તે આજે પણ આપણા નાયકો માટે માર્ગદર્શક પ્રકાશ છે. ભારત માતાને સમર્પિત તેમનું વીર જીવન હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપશે.
देश के अमर सेनानी महाराणा प्रताप को उनकी जयंती पर कोटि-कोटि नमन। मातृभूमि के स्वाभिमान की रक्षा के लिए उन्होंने जिस साहस और शौर्य का परिचय दिया था, वह आज भी हमारे वीर-वीरांगनाओं के लिए पथ-प्रदर्शक बना है। मां भारती को समर्पित उनका पराक्रमी जीवन देशवासियों को सदैव प्रेरित करता…
— Narendra Modi (@narendramodi) May 9, 2025
આ પછી તેમણે પોતાના ત્રીજા ટ્વીટમાં લખ્યું, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. ભારતના સાહિત્યિક અને સાંસ્કૃતિક આત્માને આકાર આપવા માટે તેમને યાદ કરવામાં આવે છે. તેમના કાર્યોમાં માનવતાવાદ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના પણ જાગૃત થઈ હતી. શિક્ષણ પ્રત્યેના તેમના પ્રયાસો શાંતિનિકેતનના વિકાસમાં પણ જોઈ શકાય છે. તેમના કાર્યો ખૂબ જ પ્રેરણાદાયક છે.
Tributes to Gurudev Rabindranath Tagore on his Jayanti. He is fondly remembered for shaping India’s literary and cultural soul. His works emphasised on humanism and at the same time ignited the spirit of nationalism among the people. His efforts towards education and learning,…
— Narendra Modi (@narendramodi) May 9, 2025
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે