Vantara Video મુસ્તાક દલ/જામનગર : જામનગર નજીક આવેલા રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. અંદાજે 2000થી પણ વધુ વન્ય પ્રાણી પક્ષીઓનું ઘર સમાન વનતારામાં દેશ-વિદેશના અનેક અલભય પક્ષીઓ અને પ્રાણીઓનું રહેઠાણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનતારાનું ઉદઘાટન કર્યું ત્યારે તેમની સાથે રિલાયન્સના મુકેશ અંબાણી, નીતા અંબાણી તેમજ વનતારાના સ્વપ્ન દ્રષ્ટા અનંત અંબાણી અને રાધિકા અંબાણી તેમની સાથે રહ્યા હતા. સમગ્ર મુલાકાત દરમિયાન વડાપ્રધાને અનેક વન્ય પ્રાણીઓ સાથે તેઓનો સમય વીતાવ્યો હતો. જેનો અદભૂત વીડિયો સામે આવ્યો છે.
પીએમ મોદીએ હાથી, સિંહ, વાઘ, ચિત્તા, ફ્લેમિંગો સહિત અનેક પશુ પક્ષીઓ સાથે સમય વિતાવ્યો હતો અને અનેક બાળ પ્રાણીઓને તેમને ખોરાક પણ તેમના હાથે આપ્યો હતો. સમગ્ર મુલાકાત દરમિયાન અનંત અંબાણી દ્વારા વડાપ્રધાનને અલભ્ય પ્રાણી પક્ષીઓ અંગે સવિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી.
#WATCH | PM Narendra Modi inaugurated and visited the wildlife rescue, rehabilitation, and conservation centre, Vantara in Gujarat. Vantara is home to more than 2,000 species and over 1.5 lakh rescued, endangered, and threatened animals. PM explored various facilities at the… pic.twitter.com/itbMedPtD3
— ANI (@ANI) March 4, 2025
વડાપ્રધાને વનતારાની મુલાકાત દરમિયાન પણ વિશ્વની શ્રેષ્ઠ પ્રાણીઓની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં તેઓએ પ્રાણીઓની કરવામાં આવતી વિશિષ્ટ સારવારની પણ જાત માહિતી મેળવી હતી, સમગ્ર વનતારાની મુલાકાત બાદ વડાપ્રધાન વનતારામાં થતી પ્રાણીઓ અને પક્ષીઓની સારવાર અને તેમની દેખરેખથી ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.
વનતારામાં પીએમ મોદી એશિયાટિક લાયન, સફેદ સિંહ, ચિત્તો, કારાકલ અને અન્ય જાતિના પ્રાણીઓના બચ્ચા સાથે રમતા જોવા મળ્યા હતા. તેણે સિંહના બચ્ચાને ખોરાક પણ ખવડાવ્યો. પીએમ મોદીએ જે સફેદ સિંહના બચ્ચાને ખવડાવ્યું હતું તેનો જન્મ વનતારામાં થયો હતો. સિંહણને રેસ્ક્યૂ કરીને વનતારા લાવવામાં આવી હતી.
પીએમ મોદી વનતારા ખાતેની વાઇલ્ડલાઇફ હોસ્પિટલમાં ગયા હતા અને ત્યાં વન્ય પ્રાણીઓની સારવાર માટેની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. અહીં પશુઓના એમઆરઆઈ, સીટી સ્કેન, આઈસીયુ વગેરેની વ્યવસ્થા છે. આ સાથે, એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી અને દાંતની સારવાર સહિત લગભગ દરેક વિભાગ છે. પીએમએ હોસ્પિટલના એમઆરઆઈ રૂમની પણ મુલાકાત લીધી હતી. અહીં એશિયાટીક સિંહની એમઆરઆઈ કરવામાં આવી રહ્યું હતું, તે તેમણે નિહાળ્યું. .
પીએમ સિંહ અને દીપડાના પાંજરા પાસે જઈને બેઠા હતા. અહીં તેઓએ ચા પીધી હતી જો કે, ગ્લાસની બીજી બાજુ સિંહો હતા. બાદમાં પીએમ મોદીએ ધીરુભાઈ અંબાણી રિસર્ચ લેબનું પણ નિરીક્ષણ કર્યું હતું. પીએમએ અહીં ગેંડાઓને ફળ ખવડાવ્યા અને જિરાફને પણ ખવડાવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે