Destroyed Shivling of Somnath Temple : 1000 વર્ષ પહેલા મહમૂદ ગઝનવી દ્વારા નાશ પામેલા ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંના એક સોમનાથ મંદિરના વિશાળ શિવલિંગને પુનર્જીવિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. 1000 હજાર વર્ષ પહેલાં જ્યારે મહમૂદ ગઝનવીએ ભારત પર હુમલો કર્યો ત્યારે આ દિવ્ય શિવલિંગ તૂટી ગયું હતું. ત્યારબાદ અગ્નિહોત્રી બ્રાહ્મણોના પરિવારે આ શિવલિંગના તૂટેલા ટુકડા લઈ લીધા. આ બ્રાહ્મણ પરિવાર છેલ્લા એક હજાર વર્ષથી આ ટુકડાઓને સાચવી રહ્યો છે.
તાજેતરમાં, અગ્નિહોત્રી પુજારીઓના પરિવારના સભ્ય સીતારામ શાસ્ત્રી, સોમનાથ મંદિરમાં લિંગને પવિત્ર કરવા માટે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરને મળ્યા હતા. સીતારામ શાસ્ત્રી વારસામાં મળેલા પવિત્ર શિવલિંગના ટુકડાને સાચવી રહ્યા છે.
અગ્નિહોત્રી પુજારી પરિવારના સભ્ય સીતારામ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, 1924માં તત્કાલિન શંકરાચાર્યએ શિવલિંગના તૂટેલા ટુકડાને 100 વર્ષ સુધી છુપાવીને રાખનારા પરિવારને તેની પૂજા કરવાનું ચાલુ રાખવાની સૂચના આપી હતી. હવે, વર્તમાન શંકરાચાર્યએ પરિવારને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર પાસે લિંગ લાવવાની સૂચના આપી છે.
મંદિરમાંથી તમારી ચપ્પલ ચોરાઈ જાય તો સમજી જજો કે કુદરત આપે છે આ સંકેત
એક મુલાકાતમાં, પવિત્ર લિંગમના ટુકડાને સાચવનાર સંતોના વંશના પૂજારી સીતારામ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે વર્તમાન શંકરાચાર્યના માર્ગદર્શન હેઠળ, મને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરને મળવા બેંગ્લોર મોકલવામાં આવ્યો હતો. તેમની પસંદગી આ મહાન કાર્ય (સોમનાથ ખાતે લિંગમનો અભિષેક) કરવા માટે કરવામાં આવી છે. સીતારામ શાસ્ત્રીએ જણાવ્યું કે તેમને આ મૂર્તિઓ 21 વર્ષ પહેલા મળી હતી.
સીતારામ શાસ્ત્રીએ વધુમાં કહ્યું, “અગાઉ મારા કાકાએ રાખ્યું હતું. તેણે મને આપ્યું અને મને ગુજરાતના સોમનાથ મંદિરમાં ઓછામાં ઓછા 2 લિંગ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો. આ સોમનાથનું અસલી શિવલિંગ છે. 1,000 વર્ષ થઈ ગયા. મારા કાકાએ મને સોમનાથ માં સ્થાપિત કરવાનો આદેશ આપ્યો. આ મારા કાકાને તેમના ગુરુ પ્રણવેન્દ્ર સરસ્વતીજીએ આપ્યું હતું. તે પછી મારા કાકાએ 60 વર્ષ સુધી તેની પૂજા કરી. આ મૂર્તિ મારી પાસે, તેમની અને તેમના ગુરુ પાસે ‘ગુરુ-પ્રાર્થ’ સાથે જ આવી છે.”
સીતારામ શાસ્ત્રીએ કહ્યું કે તેઓ આધ્યાત્મિક નેતા શ્રી શ્રી રવિશંકર સહિત મૂર્તિઓની પુનઃસ્થાપના અંગે વિવિધ સંતોને મળ્યા હતા, જેમણે તેમના ઠરાવમાં સમર્થનની ખાતરી આપી હતી.
તમને જણાવી દઈએ કે એક હજાર વર્ષ પહેલા જ્યારે મહમૂદ ગઝનીએ ભારત પર આક્રમણ કર્યું ત્યારે તેણે ઘણા ધાર્મિક સ્થળોને નષ્ટ કરી દીધા હતા. તેમાં સોમનાથ મંદિરનો પણ સમાવેશ થાય છે, જે સૌથી વધુ આદરણીય જ્યોતિર્લિંગોમાંનું એક છે. તેના 18મા આક્રમણમાં ગઝનવીએ સોમનાથના દિવ્ય શિવલિંગને તોડી નાખ્યું જે 3 ફૂટ ઊંચું હોવાનું કહેવાય છે અને ગુરુત્વાકર્ષણ હોવા છતાં જમીનથી 2 ફૂટની ઊંચાઈએ લટકતું હતું.
કપલે ચાલુ ટ્રેનના દરવાજે બનાવી રીલ, ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થયો Video
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે