Home> India
Advertisement
Prev
Next

Pune Bridge Collapse : પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ ધરાશાયી...6 લોકોના મોત, 20થી વધુ તણાયા

Pune Bridge Collapse : મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં નદીના પ્રવાહને જોવા માટે ભેગા થયેલા લોકોમાંથી લગભગ 20થી વધુ લોકો તણાયા હતા. અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મોટી દુર્ઘટના બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.

Pune Bridge Collapse : પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ ધરાશાયી...6 લોકોના મોત, 20થી વધુ તણાયા

Pune Bridge Collapse : પુણેના તાલેગાંવમાં એક મોટી દુર્ઘટના બની છે. ઇન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડતા એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો નદીના પાણીમાં તણાયા છે. આ સમાચાર મળતા જ હોબાળો મચી ગયો છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો નદીમાં પાણીનો પ્રવાહ જોવા ગયા હતા અને તે દરમિયાન પુલ તૂટી પડતા આ દુર્ઘટના બની હતી. ધારાસભ્ય સુનીલ શેલ્કેએ નદીમાં ડૂબી જવાથી 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે. મૃત્યુઆંક વધી શકે છે.

fallbacks

બચાવ કામગીરી ચાલુ

આ દુર્ઘટનાનું કારણ પુલની નબળાઈ હોવાનું કહેવાય છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને પીડિતોના પરિવારોને સાંત્વના આપી છે. મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું, 'સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે'. છેલ્લા કેટલાક દિવસોથી પુલ બંધ હતો. લોકો વધતા પાણીને જોવા આવ્યા હતા અને અકસ્માત થયો હતો. બચાવ ટીમે 6 લોકોને બચાવ્યા છે.

 

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમોએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ છે અને લોકોમાં ગભરાટનો માહોલ છે. વહીવટીતંત્રે લોકોને નદીની આસપાસ બિનજરૂરી રીતે એકઠા ન થવાની અપીલ કરી છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More