Home> Gujarat
Advertisement
Prev
Next

તમે બંને જન્મોજનમ મારા માતા-પિતા થઈને આવો... પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા દંપતી માટે દીકરીનો ભાવુક પત્ર

Father Letter To Mother-Father : અમદાવાદની પ્લેન ક્રેશ ઘટનામાં વડોદરાના અધેડા દંપતીનું થયું મોત... દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા... લંડનમાં રહેતી દીકરીએ માતા પિતાના નામે લખ્યો પત્ર... મને તમારા પર ગર્વ છે, તમે અદભૂત જીવન જીવ્યા 

તમે બંને જન્મોજનમ મારા માતા-પિતા થઈને આવો... પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા દંપતી માટે દીકરીનો ભાવુક પત્ર

Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર અધેડા દંપતીની લંડનમાં રહેતી પુત્રીએ મૃત માતા પિતાના નામે લખેલી ચિઠ્ઠી વાંચી તમે રડી જશો, ભગવાને બંનેને એક સાથે પોતાની પાસે બોલાવી મારા પિતાની પ્રાર્થના સાંભળી…

fallbacks

અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ Al-171 અમદાવાદ એરપોર્ટથી ટેક ઑફ કર્યાંની થોડીક જ મિનિટ બાદ ક્રેશ થઇ ગઇ હતી. આ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના વડોદરાના 27 યાત્રીઓએ જીવ ગુમાવ્યા હતા. જેમાં વડોદરાના વાસણા રોડ ખાતે રહેતા દંપતીએ પણ જીવ ગુમાવતા ત્રણ પુત્રીઓએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. માતા પિતા સાથે વાત ના કરી શકતા પુત્રીએ મૃતક માતા પિતાને સંબોધી એક ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠીમાં પુત્રીએ પોતાની વેદના વ્યક્ત કરી છે. પુત્રીએ લખેલ ચિઠ્ઠીના શબ્દો વાંચી તમારા પણ આંખમાં આશું આવી જશે 

વડોદરા શહેરના વાસણા વિસ્તારમાં આવેલ શબરી સ્કૂલની પાછળ આવેલ શિવશક્તિ સોસાયટીમાં રહેતા વલ્લભભાઈ અને તેમના પત્ની વીણાબેન લંડન ખાતે સ્થાઈ થયેલ પુત્રી હિરલ અધેડા અને તેમના બાળકો વારંવાર નાના નાનીને પોતાના ઘરે લંડન આવવા જીદ કરતા હોય વલ્લભભાઈ અને તેમના પત્ની વીણાબેને પુત્રીના ઘરે લંડન જવાનો નિર્ણય કરી વિઝા માટે અરજી કરતા દંપતીને વિઝા મળી જતા તેઓ પુત્રીના ઘરે લંડન જવા માટે અમદાવાદ થી એર ઈન્ડિયાની Al-171 ફ્લાઇટમાં 12 જૂનની ટિકિટ બુક કરાવી હતી. પુત્રી હિરલ અધેડા અને તેમના બાળકો નાના નાની ઘરે આવવાના હોય ખુબ ખુશ હતા અને લંડનમાં માતા પિતાને અલગ અલગ સ્થળો પર ફરવા લઇ જવાનો પ્લાન પણ બનાવી દીધો હતો. પરંતુ એક ધડાકાએ ખુશીને માતમના અવસરમાં ફેરવી દીધી.

મોટી ખબર : વિજય રૂપાણીનું DNA મેચ થયું, આવતીકાલે રાજકોટમાં થશે અંતિમ સંસ્કાર

વલ્લભભાઈ અને વીણાબેન પુત્રીને મળવા ગત 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ Al-171 માં બેસી પુત્રી હિરલ અને તેના પરિવારને મળવા લંડન જઈ રહ્યા હતા. જોકે અમદાવાદ એરપોર્ટથી પ્લેન ટેક ઑફ કર્યાંની થોડીક જ મિનિટ બાદ પ્લેન ક્રેશ થઇ જતા વલ્લભભાઈ અને વીણાબેનનો જીવન દીપ ભુંજાઈ ગયો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતા ઘરમાં માતમ છવાઈ ગયો હતો. માતા પિતા લંડન આવતા હોય પુત્રી હિરલે પોતાની માતાને ફરાવવા અનેક પ્લાન કર્યા હતા. 

એર ઈન્ડિયાની ફ્લાઇટ Al-171 ક્રેશ થતા તેમાં સવાર એક યાત્રી સિવાય તમામ લોકોના મોત નિપજ્યા હતા અને મૃતકોના સ્વજનો પણ તેમને ઓળખી ના શકે તેવી હાલતમાં મૃતદેહ હોય મૃતકોના પરિવારના DNA મેચ કરી મૃતદેહની ઓળખ કરી તેમના સ્વજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે, ત્યારે માતા પિતા લંડન આવવાના બદલે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દુનિયા છોડી દેતા પુત્રીને વડોદરા આવવું પડ્યું અને માતા પિતાના મૃતદેહને મેળવવા DNA આપવા પડ્યા. પિતા વલ્લભભાઈ અધેડાનો DNA થી મૃતદેહ મળી આવ્યો છે. પરંતુ હજી વીણાબેનનો મૃતદેહ DNA મેચ ના થતા મળ્યો નથી. ત્રણેય પુત્રીઓ માતાના મૃતદેહ મળવાની રાહ જોઈ રહી છે અને માતા પિતાના એક સાથે અંતિમ સંસ્કાર કરવાની ઈચ્છા ધરાવે છે.

લંડન ખાતે રહેતી પુત્રી માતા પિતા સાથે વાત ના કરી શકતા માતા પિતાને સંબોધી એક પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે, પ્રિય મમ્મી અને પાપા, જેમ માતા-પિતા પોતાના બાળકો પર ગૌરવ અનુભવતા હોય છે, તેમ જ હું પણ મારા માતા-પિતાઓ પર ખૂબ ગૌરવ અનુભવું છું. તમે બંને કેટલી અદભુત જિંદગી જીવી છે! તમે બંને સાચા અર્થમાં સ્વઅર્ધિત વ્યક્તિઓ છો. તમે હંમેશા કહેલું કે, "અમે બધું પોતે કરીશું," અને તમે તે સાબિત પણ કર્યું. તમારી સૌથી મોટી ચિંતા એ હતી કે, જો તમારામાંથી કોઈ એક પહેલો જશે તો બીજાનું શું થશે... અને એવું લાગે છે કે કિસ્મતે તેનો જવાબ આપી દીધો અને તમે બંનેને સાથે લઈ ગઈ. પણ, તમે મને 12મી જૂને વચન આપ્યું હતું કે આપણે સાંજમાં મળશું... અને એ સાંજ ક્યારેય આવી જ નહીં! હું ઈચ્છું છું કે તમે બંને મારા માતા-પિતા તરીકે તમામ આવનારી જિંદગીઓમાં હોવ. તમારી પ્રેમાળ દીકરી, હિરલ અઘેડા

આ ચિઠ્ઠીના શબ્દો તમારી આંખમાં આંસુ લાવી દેશે. આવા તો અનેક પરિવાર છે જેમની ખુશી માતમમાં ફેરવાઈ છે. અધેડા પરિવાર કહે છે કે જીવનમાં 12 જૂન ક્યારેય નહીં આવવો જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More