Home> India
Advertisement
Prev
Next

ટ્રેક્ટર ચલાવી સભા સ્થળ પર પહોંચ્યા Rahul Gandhi, મોદી સરકાર પર કર્યા પ્રહાર

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ, ' કોરોનાના સમયમાં મજૂરોએ હાથ જોડીને નરેન્દ્ર મોદી પાસે રેલ, બસની ટિકિટ માંગી. મતલબ 100-200 રૂપિયા માંગ્યા. નરેન્દ્ર મોદી કહે છે કે હું એક રૂપિયા આપીશ નહીં.'
 

ટ્રેક્ટર ચલાવી સભા સ્થળ પર પહોંચ્યા Rahul Gandhi, મોદી સરકાર પર કર્યા પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ રાજસ્થાનના નાગોરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે, જો સંસદમાં ઉભા થઈને મેં ભૂલ કરી છે તો આ ભૂલ હું વારંવાર કરીશ. તેમણે કહ્યુ કે, અમારા 200 કિસાન શહીદ થઈ ગયા, પરંતુ સંસદમાં 2 મિનિટ માટે સાંસદ મૌનમાં ન ઉભા રહ્યા. તો મેં વિચાર્યુ કે હું 2 મિનિટ  માટે પોતાના ભાષણ બાદ મૌન ઉભો રહુ, પરંતુ ન કોઈ મંત્રી ઉભા થયા અને ન ભાજપ સાંસદ. તેમણે દુનિયાની સામે કિસાનોનું અપમાન કર્યુ છે. રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવીને સભા સ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર હતા. 

fallbacks

રાહુલ ગાંધી  (Rahul Gandhi) જનસભા દરમિયાન પ્રધાનમંત્રી મોદી (narendra modi) વિરુદ્ધ આક્રમક જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, મોદી જી સંસદ ભવનમાં કિસાનોને આંદોલનજીવી કહે છે. તેમનું અપમાન કરે છે. તેમની મજાક ઉડાવે છે. મહત્વનું છે કે બજેટ સત્ર દરમિયાન રાહુલ ગાંધીએ કિસાન આંદોલન (kisan andolan) દરમિયાન જીવ ગુમાવનારા કિસાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગૃહમાં ઉભા થઈને બે મિનિટનું મૌન રાખ્યુ હતુ, જેનો ભાજપે વિરોધ કર્યો હતો. 

ભાજપે લગાવ્યો છે ગૃહના અપમાનનો આરોપ
શુક્રવારે ભાજપ સાંસદ સંજય જાયસવાલે લોકસભામાં રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવની નોટિસ આપી. તેમણે કહ્યું કે, અમે પ્રથમ વાર જોયુ કે કોઈ સાંસદ ઉભા થવા અને મૌન રાખવાનો આદેશ આપી રહ્યા છે. કેટલાક સાંસદોએ આ કર્યુ. લોકસભાએ તેના પર કાર્યવાહી કરવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે ઉભા થયેલા સાંસદોએ ગૃહનું અપમાન કર્યું છે. 

આ પણ વાંચોઃ Corona: ભારત સામે હારી રહ્યો છે કોરોના, છેલ્લા 24 કલાકમાં 17 રાજ્યોમાં એકપણ મોત નહીં 

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ, કોરોનાના સમયમાં મજૂરોએ હાથ જોડીને નરેન્દ્ર મોદી પાસે રેલ, બસની ટિકિટ માંગી. મતલબ 100-200 રૂપિયા માંગ્યા. નરેન્દ્ર મોદી કહે છે કે હું એક રૂપિયા આપીશ નહીં, પરંતુ તે સમયે મોદીએ 1,50,000 કરોડ રૂપિયાના હિન્દુસ્તાનના સૌથી ધનવાન લોકોનું દેવુ માફ કર્યુ. તેમણે કહ્યું કે, માત્ર 2-3 ઉદ્યોગપતિઓ માટે રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More